Gujarat

ગુજસીટોકના ગુનામાં ફરાર આરોપીને દેત્રોજ પાસેથી ઝડપી લેવાયો

By GS TEAM
23 Nov 20251 min read
ગુજસીટોકના ગુનામાં ફરાર આરોપીને દેત્રોજ પાસેથી ઝડપી લેવાયો

અમદાવાદ, રવિવાર

શહેરના વાસણામાં રહેતા પવનસિંહ સોંલકી વિરૂદ્ધ ગુજસીટોક સહિતના ૧૨થી વધારે ગુના નોંધાયા હતા. પરંતુ, તે છેલ્લાં ઘણા સમયથી ફરાર હતો. ડીસીપી ઝોન-૭ સ્કવોડના સ્ટાફે બાતમીના આધારે દેત્રોજના ગુજાળા ગામમાં  સ્થાનિક પોલીસ સાથે દરોડો પાડીને પવનસિંહને ઝડપી લીધો હતો. 

વાસણા પ્રજાપતિ ગાર્ડન પાસે આવેલા રિદ્ધી એપાર્ટમેન્ટમાં રહેતા પવનસિંહ સોંલકી અને તેના ગેંગના માણસો વિરૂદ્ધ  પ્રોહીબીશન, હત્યાનો પ્રયાસ, લૂંટ સહિતના ૧૩ જેટલા ગંભીર ગુના નોંધાયા હતા.આ ઉપરાંત, વાસણા પોલીસે ગુજસીટોકનો ગુનો નોધ્યો હતો. પરંતુ,  પવનસિંહ ફરાર થઇ ગયો હતો.

જે અનુસંધાનમાં ડીસીપી ઝોન-૭ સ્ક્વોડના પોલીસ ઇન્સ્પેક્ટર વાય પી જાડેજાને બાતમી મળી હતી કે પવનસિંહ સોલંકી પોલીસથી બચવા માટે અમદાવાદ જિલ્લાના દેત્રોજના ગુંજાળા ગામમાં છુપાયો છે. જે બાતમીના આધારે ઝોન-૭ સ્ક્વોડ ્અને દેત્રોજ પોલીસના સ્ટાફે દરોડો પાડીને  પવનસિંહને ઝડપી  લીધો હતો. આરોપીની વાસણા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.