અમદાવાદ: બેંક ઓફ બરોડા સાથે 3.48 કરોડની છેતરપિંડી: 18 વર્ષે ચુકાદો, 4 આરોપીઓને 3 વર્ષની કેદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Crime News: અમદાવાદની વિશેષ સીબીઆઈ કોર્ટે વર્ષ 2008ના બેંક ઓફ બરોડા સાથે થયેલી 3.48 કરોડની છેતરપિંડીના કેસમાં શુક્રવારે (12 ડિસેમ્બર) એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતા આ કેસના મુખ્ય ચાર આરોપીઓને દોષિત જાહેર કરી 3 વર્ષની કેદની સજા ફટકારી છે. કોર્ટે પ્રત્યેક દોષિતને 50,000 રૂપિયાનો દંડ ભરવાનો પણ આદેશ આપ્યો છે.
વર્ષ 2008ના બેંક ઓફ બરોડા સાથે થયેલા રૂપિયા 3.48 કરોડની છેતરપિંડીના એક જૂના કેસમાં અમદાવાદની સ્પેશિયલ CBI કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે આ કેસના મુખ્ય ચાર આરોપીઓને દોષિત ઠેરવીને તેમને ત્રણ વર્ષની સજા ફટકારી છે. સજાના એલાન સાથે કોર્ટે તમામ આરોપીઓને 50,000 રૂપિયાનો દંડ પણ ભરવાનો આદેશ આપ્યો છે.
PM માર્કેટિંગના પાર્ટનર્સને સજા
જે આરોપીઓને કોર્ટે સજા સંભળાવી છે તેમાં મેસર્સ PM માર્કેટિંગના પાર્ટનર્સનો સમાવેશ થાય છે. આ આરોપીઓમાં મનોજ તંતી, પરેશ તંતી, પૂર્વા પરેશ તંતી અને લીલાવતી એમ તંતી મુખ્ય છે. આ આરોપીઓએ બેંક ઓફ બરોડામાં કેશ ક્રેડિટની સુવિધા મેળવવા માટે ખોટા દસ્તાવેજો રજૂ કર્યા હતા અને બેંક સાથે મોટી છેતરપિંડી આચરી હતી.
SBI અધિકારીઓ સાથે કાવતરાનો પણ ખુલાસો
CBIની તપાસમાં એ વાત પણ સામે આવી હતી કે, આ આરોપીઓએ માત્ર બેંક ઓફ બરોડા સાથે જ નહીં, પરંતુ SBIના અધિકારીઓ સાથે મળીને કાવતરું પણ રચ્યું હતું. આ કાવતરા દ્વારા તેઓએ છેતરપિંડીને અંજામ આપ્યો હતો. લાંબા સમય સુધી ચાલેલા આ કેસમાં આખરે સ્પેશિયલ CBI કોર્ટે કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરીને આરોપીઓને સજા સંભળાવી છે.








