Gujarat

અમદાવાદ: મનપા ચૂંટણી પહેલા અમરાઈવાડી ભાજપમાં ભડકો, કાર્યકરોએ ‘હિટલરશાહી’ના આક્ષેપો સાથે બળાપો કાઢ્યો

By GS TEAM
14 Mar 20262 mins read
TukuTouch Logo
મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પહેલા સત્તાધારી પક્ષ ભાજપમાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં ધારાસભ્યની કાર્યપદ્ધતિ સામે પાયાના કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. 'ટીમ BJP અમરાઈવાડી' નામના વોટ્સએપ ગ્રુપમાં કાર્યકરોએ પોતાનું સન્માન ઘવાતું હોવાના અને અવગણના થતી હોવાના ગંભીર આરોપો લગાવતા રાજકીય ખળભળાટ મચ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: મનપા ચૂંટણી પહેલા અમરાઈવાડી ભાજપમાં ભડકો, કાર્યકરોએ ‘હિટલરશાહી’ના આક્ષેપો સાથે બળાપો કાઢ્યો

Ahmedabad News: મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પહેલા સત્તાધારી પક્ષ ભાજપમાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં ધારાસભ્યની કાર્યપદ્ધતિ સામે પાયાના કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. 'ટીમ BJP અમરાઈવાડી' નામના વોટ્સએપ ગ્રુપમાં કાર્યકરોએ પોતાનું સન્માન ઘવાતું હોવાના અને અવગણના થતી હોવાના ગંભીર આરોપો લગાવતા રાજકીય ખળભળાટ મચ્યો છે.


ધારાસભ્ય પર ‘હિટલરશાહી’ અને મનમાનીના આક્ષેપ

અમરાઈવાડી ભાજપના વોટ્સએપ ગ્રુપમાં વાઈરલ થયેલી ચેટ અનુસાર, કાર્યકરોએ આક્ષેપ કર્યો છે કે સ્થાનિક ધારાસભ્ય પોતાની મનમાની ચલાવે છે અને કાર્યકરોની સતત અવગણના કરવામાં આવે છે. કાર્યકરોએ વિસ્તારમાં 'હિટલરશાહી' ચાલતી હોવાનું જણાવી આક્રોશ વ્યક્ત કર્યો છે. એક કાર્યકરે ગ્રુપમાં પોતાની વ્યથા ઠાલવતા લખ્યું હતું કે, 'અત્યારે અમરાઈવાડી વિધાનસભા હિટલરશાહી શાસનથી ચાલે છે. કાર્યકર્તાઓનું કોઈ સાંભળવા માટે રાજી છે જ નહીં, જો તમે સામે બોલો સામે પડો તો તમારી ઉપર ત્વરિત એક્શન લેવામાં આવે.'

આ પણ વાંચો: ગુજરાતમાં ગરમી વચ્ચે માવઠાની આગાહી! સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતનાં આ જિલ્લામાં પડી શકે છે હળવો વરસાદ

પૂર્વ કોર્પોરેટરોની પણ વ્યથા છલકાઈ

માત્ર સામાન્ય કાર્યકરો જ નહીં, પરંતુ પૂર્વ કોર્પોરેટરોએ પણ પક્ષના વોટ્સએપ ગ્રુપમાં પોતાનો રોષ ઠાલવ્યો છે. વાઈરલ મેસેજમાં એક પૂર્વ કોર્પોરેટરે લખ્યું છે કે, 'વોર્ડમાં કોઈ સમસ્યા હોય તો લોકો અમને સંભળાવે છે, પરંતુ અમારા કામ થતા નથી. જો કાર્યકરો કે હોદ્દેદારોનું અપમાન કરવામાં આવશે તો હવે અમે તે ચલાવી લઈશું નહીં.'

ચૂંટણી ટાણે જ જૂથબંધી સપાટી પર આવતા સંગઠન ચિંતામાં

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક છે ત્યારે જ અમરાઈવાડી જેવા મહત્ત્વના વિસ્તારમાં જૂથબંધી અને ધારાસભ્ય સામેનો વિરોધ સામે આવતા ભાજપના ઉચ્ચ સંગઠન માટે ચિંતાનો વિષય બન્યો છે. પક્ષના પાયાના કાર્યકરોમાં એવો ગણગણાટ છે કે જો તેમની સન્માનપૂર્વક અવગણના અટકશે નહીં તો તેની અસર ચૂંટણીના પરિણામો પર પડી શકે છે. હાલમાં આ વાયરલ ચેટ સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બની છે.