For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમદાવાદમાં સાતમા માળેથી લિફ્ટ તૂટતા 7 શ્રમિકોના કરૂણ મોત

Updated: Sep 14th, 2022

અમદાવાદમાં સાતમા માળેથી લિફ્ટ તૂટતા 7 શ્રમિકોના કરૂણ મોત

-એસ્પાયર-2 નામની બિલ્ડિંગમાં બાંધકામ દરમિયાન સાતમા માળેથી એક લિફ્ટ તૂટી પડતાં 7 શ્રમિકોના મોત

અમદાવાદ, તા. 14 સપ્ટેમ્બર 2022, બુધવાર

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી નજીક મોટી દુર્ઘટના સર્જાઈ છે. જ્યાં એસ્પાયર-2 નામની બિલ્ડિંગના બાંધકામ દરમ્યાન 7 શ્રમિકોના મોત થયાના અહેવાલ મળી રહ્યાં છે. 

મળતી માહિતી પ્રમાણે એસ્પાયર-2 નામની બિલ્ડિંગમાં બાંધકામ દરમિયાન સાતમા માળેથી એક લિફ્ટ તૂટી પડતા 7 શ્રમિકોના મોત થયા છે. આ ઘટનામાં બે શ્રમિકોને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

  • ગુજરાત યુનિવર્સિટી નજીક મોટી દુર્ઘટના 
  • એસ્પાયર-2 નામની બિલ્ડીંગનુ કન્ટ્રક્શન વખતે બની ઘટના 
  • મૃતક મજૂરો ઘોઘમ્બાના વતની 
  • સાતમા માળેથી એક લિફ્ટ તૂટી પડતા 7શ્રમિકોના મોત

Article Content Image

મૃત્યુ પામનાર શ્રમિકો :

પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક મજૂરો ઘોઘમ્બાના વતની હોવાની માહિતી મળી રહી છે.

સંજયભાઈ બાબુભાઇ નાયક ​​​​​​​​​​​​, ઉમર 20 વર્ષ

જગદીશભાઈ રમેશભાઈ નાયક,ઉંમર 21 વર્ષ

અશ્વિનભાઈ સોમાભાઈ નાયક,ઉમર 20 વર્ષ​​​​​​

મુકેશ ભરતભાઇ નાયક​​​​​​​,ઉમર 25 વર્ષ​

મુકેશભાઇ ભરતભાઇ નાયક, ઉમર ​​​​​​​25 વર્ષ

રાજમલ સુરેશભાઇ ખરાડી,ઉમંર 25 વર્ષ

પંકજભાઇ શંકરભાઇ ખરાડી,ઉમર 21 વર્ષ


Gujarat