મોટા ખોખરાના વતની અગ્નિવીર સૈન્ય જવાન વીરગતિ પામ્યા
- ચાલુ ફરજ દરમિયાન જવાનને અકસ્માતે ગોળી વાગી
- શ્રીનગર ખાતે એર ડિફેન્સ રેજિમેન્ટમાં પોસ્ટીંગ પર રહેલાં જવાનના પાર્થિવદેહને આજે વતન લાવી અંતિમવિધિ કરાશે
ઘોઘા તાલુકાના મોટા ખોખરા ગામના વતની જયદિપભાઈ જીતુભાઈ ડાભી (ઉ.વ.૨૩) ગત વર્ષે ફેબૂ્ર. માસમાં આર્મીમાં અગ્નિવીર તરીકે દેશ સેવામાં જોડાયા હતાં. અને જમ્મુ-કાશ્મીરના શ્રીનગર ખાતે એર ડિફેન્સ રેજિમેન્ટમાં પોસ્ટીંગ પર હતાં. દરમિયાનમાં આજે સવારે ફરજ પર હતા ત્યારે અક્સ્માતે ગોળી છૂટતાં તેમને ગંભીર ઈજા પહોંચી હતી. અને તેઓ વીરગતિ પામ્યા હતા.બીજી તરફ, આ બનાવની જાણ થતાં જ પરિવાર પર આભ તૂટી પડયું હતું. પંક્ચરની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતાં જીતુભાઈ વેલજીભાઈ ડાભીને ત્રણ પુત્રી અને બે પુત્રો પૈકી શહીદ જવાન જયદિપભાઈ પુત્રોમાં મોટા હતાં. જ્યારે તેમનો નાનો ભાઈ ધો. ૧૨માં અભ્યાસ કરી રહ્યો છે. અપરણિત જયદિપભાઈ અગ્નિવીર તરીકે આર્મીમાં ફરજ પર લાગતા પરિવારને આથક ટેકો મળ્યો હતો. આ અંગે ભાવનગર જિલ્લા કલેકટરે જણાવ્યું કે, શહીદ વીરના પાર્થિવ દેહને આવતીકાલ રવિવારે હવાઈ માર્ગે અમદાવાદ અને ત્યાંથી વાહન માર્ગે તેમના માદર વતન લાવવામાં આવશે. બાદમાં રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ વિધિ થશે.