Get The App

ચંડોળા તળાવ પછી બાપુનગરમાં આવેલા મલેકસાબાન તળાવ નજીક ૪૫૦ ગેરકાયદે બાંધકામ તોડી પડાયા

પોલીસ બંદોબસ્ત સાથે અકબરનગરના છાપરા તરીકે જાણીતી જગ્યાની ૧૫ હજાર ચોરસ મીટર જગ્યા દબાણમુકત કરાઈ

Updated: May 29th, 2025

GS TEAM

Google News
Google News
ચંડોળા તળાવ પછી બાપુનગરમાં આવેલા  મલેકસાબાન તળાવ નજીક ૪૫૦ ગેરકાયદે બાંધકામ તોડી પડાયા 1 - image


અમદાવાદ,ગુરુવાર,28 મે,2025

ચંડોળા તળાવની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ દુર કરાયા પછી ગુરુવારે બાપુનગરમા આવેલા મલેકસાબાન તળાવ નજીક ૪૫૦ કાચા-પાકા ગેરકાયદેસર બાંધકામ મ્યુનિસિપલ કોર્પોરેશને તોડી પાડયા હતા. અકબરનગરના છાપરા તરીકે જાણીતી જગ્યાની ૧૫ હજાર ચોરસમીટર જગ્યા દબાણમુકત કરાઈ હતી. વર્ષ-૨૦૧૪માં ૨૨૧ અસરગ્રસ્તોને વટવા ખાતે આવાસની ફાળવણી કરાઈ હતી. છતાં તેઓ ત્યા રહેવા ગયા નહતા.આ જગ્યાને કમ્પાઉન્ડ વોલ બનાવી સુરક્ષિત કરાશે.

બાપુનગર વોર્ડમાં  મલેકસાબાન તળાવ નજીક એસ.પી.ઓફિસના પાછળના ભાગમા મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની જગ્યા ઉપર  બાંધી દેવામા આવેલા રહેણાંક અને કોમર્શિયલ પ્રકારના બાંધકામ તોડવાની કામગીરી સવારે છ કલાકથી શરુ કરાઈ હતી.૮૦૦થી વધુના સ્ટાફ, પાંચ જે.સી.બી., નવ હિટાચી મશીન, ૪૦ ડમ્પર સાથે  બે કલાકના સમયમા જ કામગીરી પુરી કરી દેવાઈ હતી.નોંધનીય છે કે, અગાઉ આ જ સ્થળે કુખ્યાત કડવા ગેંગના સભ્યોએ પોલીસને ચપ્પુ અને તલવાર બતાવીને ભગાડી હતી.જે પછી પોલીસે આરોપીઓને ઝડપી લઈ તેમનુ સરઘસ કાઢયુ હતુ.ડિમોલીશનની કામગીરી સમયે બે એસીપી, નવ પી.આઈ., ૨૭ પી.એસ.આઈ. ઉપરાંત ૪૦૦ પોલીસ કર્મચારી તથા એસ.આર.પી. બંદોબસ્તમા હતા.કાટમાળ દુર કરી આગામી દિવસોમા આ જગ્યામાં ડેવલપમેન્ટ કરવામા આવશે.

Tags :