જામનગરમાં એડવોકેટની પત્નીએ પતિ સાથેના ઝઘડા બાદ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Suicide Case : જામનગરમાં પ્રણામી ટાઉનશીપ વિસ્તારમાં રહેતા એડવોકેટની પત્નીએ ગઈકાલે ઘરની બહાર ફરવા જવા બાબતે પતિ સાથે ઝઘડો થયા બાદ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં હર્ષદ મિલની ચાલી નજીક પ્રણામી ટાઉનશીપ શેરી નંબર 6 માં રહેતા અને વકીલાત તરીકેનો વ્યવસાય કરતા એડવોકેટ દિપકભાઈ દામજીભાઈ કટારમર કે જેઓના પત્ની હીનલબેન દીપકભાઈ કટારમલે ગઈકાલે રાત્રે પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ અંગે એડવોકેટ દીપકભાઈ કટારમલે પોલીસને જાણ કરતાં સીટીએ ડિવિઝનના પી.એસ.આઇ એલ.બી.જાડેજા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ પૂછપરછમાં એડવોકેટ દિપકભાઈ અને તેમના પત્ની હિનલબેન વચ્ચે સાથે ઘરની બહાર જવા બાબતે બોલા ચાલી થઈ હતી, જેનું મનમાં લાગી આવતાતાં પત્નીએ આપઘાત કરી લીધો છે જે મામલામાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.








