Get The App

જામનગરની જૂની આરટીઓ કચેરીનું બિલ્ડીંગ નવો રોડ બનાવવા માટે જમીનદોસ્ત કરવાની કાર્યવાહી હાથ ધરાઈ

Updated: May 27th, 2025

GS TEAM


Google News
Google News
જામનગરની જૂની આરટીઓ કચેરીનું બિલ્ડીંગ નવો રોડ બનાવવા માટે જમીનદોસ્ત કરવાની કાર્યવાહી હાથ ધરાઈ 1 - image


Jamnagar : જામનગરમાં લાખોટા તળાવની પાળથી સાત રસ્તા તરફ જવા માટેનો નવો રોડ જામનગર મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવી રહ્યો છે, અને તે રોડમાં આવતા અનેક સરકારી બિલ્ડીંગોને તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

 જેના ભાગરૂપે ગઈકાલે બપોરથી જૂની આરટીઓ કચેરી વાળું બિલ્ડીંગ, કે જેને તોડી પાડવા માટેની પ્રક્રિયાઓ હાથ ધરી લેવામાં આવી હતી, અને જેસીબી-હિટાચી મશીનો વગેરેની મદદથી જુનું આરટીઓ કચેરી વાળું બિલ્ડીંગ જમીનદોસ્ત કરવામાં આવી રહયું છે.

જામનગરની જૂની આરટીઓ કચેરીનું બિલ્ડીંગ નવો રોડ બનાવવા માટે જમીનદોસ્ત કરવાની કાર્યવાહી હાથ ધરાઈ 2 - image

 ટૂંક સમયમાં જ અન્ય સરકારી કચેરીઓને પણ તોડી પાડવામાં આવશે, અને ત્યાંથી નવો રોડ તૈયાર કરાશે. જેથી તળાવની પાળેથી સીધા સાત રસ્તા સર્કલમાં પહોંચી શકાશે.

Tags :