Get The App

બે મંદિરમાં ચોરી કરનાર આરોપી ઝડપાયો : દાગીના કબજે

ચોરીના દાગીના વેચવા ફરતો હતો : અન્ય બે સાગરીતોની શોધખોળ

Updated: Mar 6th, 2026

GS TEAM

Google News
Google News
બે મંદિરમાં ચોરી કરનાર આરોપી ઝડપાયો : દાગીના કબજે 1 - image

જરોદ ભણીયારા ગામ પાસે આવેલ જૈન મંદિર તથા વાઘોડિયા જીઆઇડીસીમાં અંબે માંના મંદિરમાંથી ચોરી કરનાર આરોપીઓને પોલીસે ઝડપી પાડયા છે.

જિલ્લા એલસીબી ટીમ પેટ્રોલિંગમા હતી. તે દરમ્યાન માહિતી મળી હતી કે, ભણીયારા પાસે આવેલ જૈન દેરાસરમાંથી ચોરી કરનાર આરોપી દાગીના  વેચવા  જરોદ થી રવાલ વાળા રોડ પર આવેલ નર્મદા કેનાલ  પાસે આવનાર છે .પોલીસે  વોચ ગોઠવીને  આરોપી કલ્પેશ બદિયયાભાઈ ભાભોર ને ઝડપી પાડયો હતો.પોલીસે ઝડપેલા આરોપીની  પૂછપરછ કરતા વાઘોડિયા જીઆઈડીસીમા આવેલ અંબે માંતાના મંદિરમાંથી માતાજીના ઘરેણાની પણ ચોરી કરી કબૂલાત કરી હતી. પોલીસે તેના અન્ય બે સાગરીતો  અજીત છગનભાઇ ભાભોર અને ઇસ્માઇલ ઉર્ફે વિજય જોરસિંગભાઈ ને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે આરોપી પાસેથી દાગીના, મોબાઇલ અને રોકડા રૃપિયા મળી કુલ ૩૨,૧૭૫ રૃપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.