Get The App

ધાબડિયા વાતાવરણ, માવઠાની આગાહી વચ્ચે અબડાસા પંથક ઠંડીથી ધુ્રજે છે

Updated: Dec 27th, 2024

GS TEAM

Google News
Google News
ધાબડિયા વાતાવરણ, માવઠાની આગાહી વચ્ચે અબડાસા પંથક ઠંડીથી ધુ્રજે છે 1 - image

ઓટલા ઉપર ચાલતી 'વડીલોની રેયાણ' ઠંડીમાં ઠૂંઠવાઈ

તાપણાના સહારે હૂંફ મેળવવા પ્રયાસ

અબડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં શિયાળાએ વર્ચસ્વ જમાવતા મોડી સાંજ પછી માણસ તો ઠીક ચકલું પણ ફરકતું નથી 

ભુજ: વાતાવરણમાં આવેલા પલટા અને હવામાન વિભાગની આગાહી વચ્ચે  અબડાસા તાલુકાના ખાસ કરીને દરિયાઈ અને કાંઠાળ વિસ્તારમાં આવેલ ગ્રામ્ય જીવનને ખૂબ જ અસર પડી છે. જન જીવન અસ્તવ્યસ્ત બની જવાની સાથે સૂર્યાસ્ત અગાઉ જ મોટા ભાગના ગામડાઓમાં સન્નાટો છવાઈ જાય છે.

આ અંગે ખુઅડા ગામના યુવા અગ્રણી પલ વિક્રમસિંંહ દેવાજીએ જણાવ્યું હતું કે, માવઠા અંગે હવામાન વિભાગની આગાહીના કારણે ખેડૂત વર્ર્ગમાં ચિંંતાના વાદળો છવાઈ ગયા છે. અને જો માવઠું પડે તો, શિયાળુ પાકને નુકશાન થઇ શકે છે.અને સાંજ પડતાં જ ગામડાઓમાં ફળિયે ફળિયે તાપણા જોવા મળે છે.

કોઠારાના મનોજ જોશીના જણાવાયા મુજબ  અબડાસા તાલુકામાં કોઠારા ગામ વ્યાપાર ક્ષેત્રે અબડાસાનું મુખ્ય કેન્દ્ર જણાય છે.અને સવાર થી સાંજ સુધી બજારો ધમધમતી હોય છે. પણ હાલમાં સાંજ થાય પહેલા જ બજારમાંથી ગ્રાહકો જાણે કે અદ્રશ્ય થઈ જાય છે.

ડુમરાના મામધભાઈ જણાવ્યું હતું કે, વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધી જતાં જન જીવન અસ્ત વ્યસ્ત બની ગયું છે.જેની સૌથી વધુ અસર નાના બાળકો પર પડી છે.ઠંડીના કારણે હાલમાં શાળાઓમાં શનિવારનો સમય અડધો કલાક મોડો કરવામાં આવ્યો છે.આમ છતાં ઠંડીના કારણે વાલીઓ પોતાના નાના બાળકોને સમયસર વહેલા મુકતા અચકાતા હોય છે, અથવા ટાળતા હોય છે.જેના કારણે શનિવાર ના શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ ઓછી જોવા મળે છે.અને ખાસ કરીને વૃધ્ધો અને નાના બાળકોની ચહલપહલ સદંતર ઘટી ગઈ છે.બિમાર ,અશકત લોકો આવી ઠંડીમાં ઘર થી બહાર નીકળવાનું મુનાસિબ સમજતા નથી.