Gujarat

કેનેડા જવાના મામલે ફ્રોડ થતા યુવાને ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી

By GS Team
19 Aug 20251 min read
This article was originally published on 19 Aug 2025
કેનેડા જવાના મામલે ફ્રોડ થતા યુવાને ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી

- મૃતકના ભાઈએ સુરતના શખ્સ વિરૂધ્ધ ઘોઘા પોલીસમાં ફરિયાદ નોંધાવી

- વર્ક વિઝા મેળવા સુરતના શખસને નાણા આપ્યા બાદ પરત કર્યાં નહી

ભાવનગર : ઘોઘાના તગડી ગામના યુવાન કેનેડાના વર્કવિઝા મેળવવા સુરતના વેસુમા રહેતા શખસને રૂ.૨૨ લાખ આપ્યા પછી પણ વર્ક વિઝા કે પૈસા પરત ન કરતા યુવાને પોતાના સાથે ફ્રોડ થયુ છે, તેવી વેદના સાથે સુસાઈડ નોટ લખી ગળાફાંસો ખાઈ લીધો હતો.

ઘોઘા તાલુકાના તગડી ગામે પટેલ શેરીમાં રહેતા હિતેષભાઈ કલ્યાણભાઈ લાઠીયાએ ઘોઘા પોલીસ મથકમાં જેનીલ શૈલેષભાઈ પ્રજાપતી (રહે. સેન્ટ્રલ બજાર, વેનજલો ઉઘના, મગદલ્લા રોડ, વેસુ, સુરત) સામે ફરીયાદ નોંધાવી હતી કે, તેમના નાનાભાઈ સંજયભાઈ કલ્યાણભાઈ લાઠીયા (ઉ.વ ૩૪) એ કેનેડા જવા માટે તેના વર્ક વિઝા મેળવવા જેનીલ પ્રજાપતીને રૂ.૧૭ લાખ ટ્રાન્સફર કર્યાં હતા અને રૂ.૫ લાખ રોકડા મળી કુલ રૂ.૨૨ લાખ ચુકવ્યા હતા. પરંતુ જેનીલે કેનેડાના વર્કવિઝા કરાવી ન આપતા તેની પાસે પૈસા પરત માંગતા ન આપી ગલ્લા તલ્લા કરતો હતો. અવાર-નવાર પૈસાની ઉઘરાણી કરવા છતા ન આપી તેની સાથે ફ્રોડ કરી પૈસા પરત ન કરી તેના ભાઈને મરવા મજબુર કરતા ગત તા.૧૫ ઓગસ્ટના રોજ સવારના આઠ કલાકના રૂમમાં ઈીનું દોરડુ બાંધી ગળાફાંસો ખાઈ મરણ ગયો હતો. યુવાનને સારવાર અર્થે ભાવનગર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં યુવાનનું મોત થયું હતું. તદુપરાંત યુવાનના ખિસ્સામાંથી સુસાઈડ નોટ મળી આવી હતી.