Get The App

વાહને બાઇકને ટક્કર મારતાં કુંતાસી ગામના યુવાનનું મોત

Updated: Dec 23rd, 2025

GS TEAM

Google News
Google News
વાહને બાઇકને ટક્કર મારતાં કુંતાસી ગામના યુવાનનું મોત 1 - image

મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે હીટ એન્ડ રન

ગાળાફાંસો ખાઇ મોરબીમાં યુવાને, જામનગરમાં તરૂણીએ જીવ દીધો, બન્ને બનાવમાં કારણ અંગે તપાસ

મોરબી, જામનગર: મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે નીરૂનગરના પાટિયા પાસે અજાણ્યા વાહનચાલકે બાઇકને ઠોકર મારતા બાઇક ચાલક યુવાનનું મોત થયું છે. અકસ્માત સર્જી વાહનચાલક નાસી ગયો હતો. મોરબી તાલુકા પોલીસે હીટ એન્ડ રનના બનાવ મામલે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

મોરબીના કુંતાસી ગામે રહેતા દિનેશભાઇ પ્રતાપભાઇ બાબરીયા નામનો યુવાન પોતાનું બાઇક લઇને પીપળીયા ચાર રસ્તા પાસેથી જતો હતો અને નીરૂનગરના પાટિયા પાસે અજાણ્યા વાહનચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ગંભીર ઇજા થતાં મોત નીપજ્યું હતું. વાહન લઇને વાહનચાલક નાસી ગયો હતો. મોરબી તાલુકા પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મૂળ યુપીના વતની સંદીપકુમાર જયાશંકર યાદવ (ઉ.વ.૨૫) નામના યુવાને મોરબીના જુના રફાળેશ્વર રોડ પર  કારખાના પાસે ખરાબાની જગ્યામાં પ્લાસ્ટિકની દોરી ઝાડ સાથે બાંધી ગળેફાંસો ખાઇ લેતાં મોત થયું હતું. આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા પોલીસે વધુ તપાસ ચલાવી છે.

જામનગર નજીક હાપા વિસ્તારમાં રહેતાં અશોકભાઇ હિંમતભાઇ પરમારની ૧૬ વર્ષની પુત્રી વૈશાલીબેને પોતાના ઘરે લોખંડના પાઇપમાં સાડી વડે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. પોલીસે કારણ અંગે તપાસ હાથ ધરી છે.