Get The App

કાલાવડ તાલુકાના મોટી નાગાજળ ગામમાં વાણંદ કામ કરી રહેલા એક યુવાન ને વીજ આંચકો લાગતાં કરુણ મૃત્યુ

Updated: Sep 14th, 2025

GS TEAM

Google News
Google News
કાલાવડ તાલુકાના મોટી નાગાજળ ગામમાં વાણંદ કામ કરી રહેલા એક યુવાન ને વીજ આંચકો લાગતાં કરુણ મૃત્યુ 1 - image


જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી નાગાજળ ગામમાં રહેતા અને વાણંદ  કામ કરતા નિલેશ વિઠ્ઠલભાઈ માવાદીયા નામના  વર્ષના વાણંદ યુવાનને પોતાની દુકાનમાં વાળ કાપતી વખતે વાળ કાપવાના ઈલેક્ટ્રીક મશીનમાંથી એકાએક વીજ આંચકો લાગ્યો હતો અને બેશુદ્ધ બન્યો હતો. જેને સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં લઈ જવાતાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ ચિરાગભાઈ વિઠ્ઠલભાઈ માવદીયા એ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્યના એએસઆઇ આર.વી. ગોહિલ બનાવના સ્થળે અને સરકારી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :