જામનગરમાં ચિત્રકૂટ સોસાયટીમાં યુવાનનો અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આપઘાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar : જામનગરમાં ખોડીયાર કોલોની નજીક ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા એક વિપ્ર યુવાને ગઈકાલે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે, જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ખોડીયાર કોલોની નજીક ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા રાજનભાઈ મનસુખભાઈ જોશી નામના 30 વર્ષના વિપ્ર યુવાને ગઈકાલે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર રસોડામાં પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી, અને તેનું સ્થળ પર જ મૃત્યુ નીપજયું હતું.
આ બનાવ અંગે મૃતકના પિતા મનસુખભાઈ રણછોડભાઈ જોશીએ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને વિપ્ર યુવાનના મૃતદેહનો કબજો સંભાળી તેણે કયા સંજોગોમાં આત્મહત્યાનું પગલું ભરી લીધું છે, તે જાણવા માટે તપાસ શરૂ કરી છે, અને પરિવારજનોના નિવેદનો નોંધ્યા છે.









