જામજોધપુરના રબારીકા ગામના ખેડૂત યુવાનનો એકલવાયા જીવનથી કંટાળી જઈ કુવામાં ઝંપલાવી આપઘાત
Jamnagar Suicide : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના રબારીકા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા પંકજભાઈ દેવશીભાઈ ચાવડા નામના 43 વર્ષના ખેડૂત યુવાને ગઈકાલે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી દઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં ડૂબી જવાના કારણે તેનું મૃત્યુ નિપજ્યું છે.
આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ ગોવિંદભાઈ દેવશીભાઈ ચાવડાએ પોલીસને જાણ કરતાં જામજોધપુર પોલીસ બનાવના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પાણીમાંથી બહાર કઢાવી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતક ખેડૂત યુવાન કે જેના આજથી 10 વર્ષ પહેલા છૂટાછેડા થઈ ગયા હતા અને ત્યારથી પોતે એકલવાયું જીવન જીવતો હતો. જે એકલવાયા જીવનથી કંટાળી જઇ આ પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.