જામનગરમાં પરિણીતાને તેણીના પતિ-સસરા અને નણંદનો ત્રાસ : મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar : જામનગરમાં પાર્ક કોલોની વિસ્તારમાં રહેતી અને ટ્યુશન ક્લાસ ચલાવતી જલ્પાબેન ભાવિનભાઈ ભેસદડીયા નામની 36 વર્ષની પરિણીત યુવતીએ પોતાને મારકુટ કરી ત્રાસ ગુજારી સગીર પુત્ર સાથે ઘરમાંથી હાંકી કાઢવા અંગે પોતાના પતિ ભાવિન ચંદુભાઈ ભેસદડીયા, તેમજ તેમાં મદદગારી કરનારા સસરા ચંદુભાઈ લીંબાભાઇ ભેસદડીયા અને નણંદ પૂર્વીબેન શાંતિભાઈ ચનીયારા સામે ફરિયાદ નોંધાવી છે.
જામનગરના મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જાહેર કર્યું છે, કે પોતાના પતિને અન્ય કોઈ યુવતી સાથે સંબંધ હોવાથી પોતાની પત્ની તરીકે સ્વીકારતા ન હતા, અને અમાનુષી ત્રાસ ગુજારી ક્રૂરતાપૂર્વકનું વર્તન કરતા હતા, જેમાં સસરા અને નણંદનો પણ સાથ હતો, આખરે તેઓનાથી કંટાળી જામનગરની અદાલતમાં ભરણપોષણ અંગેનો દાવો પણ દાખલ કર્યો છે. ઉપરાંત પણ ત્રાસ ચાલુ રહેતાં મહિલા પોલીસ મથકમાં આ પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.








