Get The App

જૂનાગઢમાં પદ્મશ્રી દિવાળીબેન ભીલની પ્રતિમાની વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી

Updated: Jun 2nd, 2025

GS TEAM


Google News
Google News
જૂનાગઢમાં  પદ્મશ્રી દિવાળીબેન ભીલની પ્રતિમાની વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી 1 - image


આજે તેમના જન્મદિવસ નિમિત્તે યાદગીરીરૂપે  વણઝારી ગરબીચોકથી વાજતે ગાજતે ઢોલ-નગારા અને શરણાઈના સાદ સાથે મહાપાલિકાના હોદ્દેદારને પ્રતિમા સોંપાઈ

જૂનાગઢ : મુંબઈની હીરા માણેક ગ્રુપ  સંસ્થાએ દિગ્ગજ ગાયિકા પદ્મશ્રી દિવાળીબેન ભીલની પ્રતિમા બનાવડાવી છે. આજે તેમના જન્મદિવસ નિમિત્તે યાદગીરીરૂપે સંસ્થા દ્વારા વણઝારી ગરબીચોકથી વાજતે ગાજતે ઢોલ-નગારા અને શરણાઈના સાદ સાથે શોભાયાત્રા યોજવામાં આવી હતી. તેમાં દિવાળીબેનની પ્રતિમા બગીમાં લઈ જઈ મહાનગરપાલિકા સુધી લાવવામાં આવી હતી અને સંસ્થાના આગેવાનોએ પ્રતિમાને મહાનગરપાલિકાના હોદ્દેદારોને સોંપી હતી. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં કલાકાર અને શહેરીજનો જોડાયા હતા.

Tags :