સુરતની SVNITમાં આ વર્ષથી નવી શિક્ષણ નીતિનો અમલ કરાશે
- પ્રવેશ મેળવ્યા પછી વિદ્યાર્થીઓ જેટલા વર્ષ ભણશે તે મુજબ ડિગ્રી
કે પ્રમાણપત્ર મળશે
સુરત
સુરતના ઇચ્છાનાથ સ્થિત સરદાર વલ્લભભાઇ નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (એસવીએનઆઇટી) દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ આ વર્ષથી નવી શિક્ષણ નીતિનો અમલ કરવા જઇ રહી છે. આથી અંડર ગ્રેજયુએટ અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને એક વર્ષ અભ્યાસ કરશે તો પણ ડિગ્રી કે પ્રમાણપત્ર આપશે.
કેન્દ્ર સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ બનાવાતા અમલમાં આવતા દેશભરની નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (એનઆઇટી) માંથી સુરત સ્થિત એસવીએનાઇટી પણ આગળ આવી છે. આ અંગે વધુ માહિતી આપતા ડાયરેકટર ડૉ. અનુપમ શુકલાએ જણાવ્યુ હતુ કે એસવીએનઆઇટી દ્વારા નવી શિક્ષણ નીતિનો અમલ આ વર્ષથી શરૃ કરી દેવાયો છે. આ નીતિ હેઠળ વિદ્યાર્થીઓ એનઆઇટીમાં જેટલુ ભણશે તે મુજબ પદવી મળશે. ધારો કે બી.ટેકમાં એક વર્ષ ભણ્યા બાદ ભણવાનું છોડી દે છે તો તે વિદ્યાર્થીને આઇટીઆઇ પ્રમાણપત્ર સ્તરની સમકક્ષ ડિગ્રી મળશે. બે વર્ષ ભણ્યા પછી છોડી દે છે તો ડિપ્લોમાં, બીએસસી અથવા બીએસી (ઓનર) અને ત્રણ વર્ષ પછી બી.ટેકની ડિગ્રી મળશે. આ ઉપરાંત એક સેમેસ્ટર દીઠ ૨૨ કેર્ડીટ પોઇન્ટ સાથે જ શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ રાષ્ટ્રીય ક્રેડીટ ફ્રેમવર્ક મુજબના અભ્યાસક્રમનું માળખુ તૈયાર કર્યુ છે. વિદ્યાર્થીઓ દ્વારા જે સેમેસ્ટર દીઠ જે ક્રેડીટ મેળવશે નેશનલ એકેડેમિક ડિપોઝીટરી પર અપલોડ કરવામાં આવશે.
નવા નવા અભ્યાસક્રમોની સાથે જ પાંચ વર્ષનો ડયુઅલ ડિગ્રી પ્રોગામ જેમાં વિદ્યાર્થીઓ પાસે બી.ટેક પ્લસ એમબીએની ડિગ્રી મેળવવાની પસંદગી મળશે. આ ઉપરાંત ૯૦ વૈકલ્પિક અભ્યાસક્રમોની પણ વિદ્યાર્થીઓને પસંદગી કરવાની તક મળશે. ટુકમાં નવી શિક્ષણ નીતિ અંતર્ગત વિદ્યાર્થીઓને વાસ્તવિક વિશ્વની સમસ્યા-નિરાકરણ, ઇન્ટનર્શીપ એન્ડ હેન્ડ-ઓન પ્રોજેકટ્સમાં સામેલ કરીને વિષયોની ઉંડી સમજણ આપવાનો મુખ્ય હેતુ છે.