Gujarat
નવાપુરા સરદાર માર્કેટ ખાતે રૂ.૩૭.૭૨ કરોડના ખર્ચેદ માળની નવી વહીવટી કચેરી બનશે
By GS TEAM
11 Feb 20261 min read

મ્યુનિ.કોર્પોરેશન દ્વારાનાગરિકોની સુવિધા અને વહીવટી કાર્યક્ષમતા વધારવા નવાપુરા સરદાર માર્કેટ ખાતે નવી કચેરી બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે. આ ઈમારત કુલ ૨૫૧૩.૧૨ ચોરસ મીટરના વિસ્તારમાં અંદાજિત રૂ.૩૭.૭૨ કરોડના ખર્ચે તૈયાર થશે.
નવી કચેરીના બેઝમેન્ટમાં વિશાળ પાર્કિંગની વ્યવસ્થા કરાશે. ગ્રાઉન્ડ ફ્લોર પર જન્મ-મરણ શાખા, યુ.સી.ડી. શાખા રહેશે. પ્રથમ માળે એફોર્ડેબલ હાઉસિંગ વિભાગ, બીજા માળે આકારણી શાખા સાથે ત્રણ કોન્ફરન્સ હોલ રહેશે. ત્રીજા માળે રોડ પ્રોજેક્ટ અનેસોલિડ વેસ્ટ શાખા, ચોથામાળે રોડ પ્રોજેક્ટ તથા ટ્રાફિક શાખા રહેશે. પાંચમા માળે રેકોર્ડ રૂમ અને ટ્રેનિંગ રૂમ તથા છઠ્ઠા માળે ટેરેસ ગાર્ડન, રેકોર્ડ રૂમ, કેન્ટીન અને ડાઈનિંગ એરિયા જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.








