દુકાનનો કરાર જોતો હોય તો 10 લાખ આપવા પડશે
પિતાની સારવાર માટે વેપારીએ ખીરસરાના વ્યાજખોર પાસેથી ૨.૫૦ લાખ લીધા હતા જેની સામે ૩.૫૦ લાખ ચૂકવી દીધા છતા ધમકી
મૂળ કાલાવડના નપાણીયા ખીજડીયાના નાગજીભાઈ એ પોલીસને જણાવ્યું કે એકાદ વર્ષ પહેલા પિતાની કેન્સરની બીમારી હોવાથી હોસ્પિટલના ખર્ચા વધુ થઈ જતાં પૈસાની જરૂરીયાત ઉભી થતાં આરોપી જીતેન્દ્ર પાસેથી રૂા. ૨.૫૦ લાખ ૫ ટકા વ્યાજે લીધા હતા. જેના બદલામાં આરોપીને તેની દુકાનનો નોટરાઈઝ વેચાણ ખત અને બે કોરા ચેક અપાયા હતા. એટલું જ નહીં આરોપીએ દુકાનનો ૧૮ માસનો ભાડા કરાર પણ કરાવી લીધો હતો. ૧ વર્ષ દરમિયાન તેણે આરોપીને રૂા. ૩.૫૦ લાખ ચુકવી દીધા હતા. છતાં આરોપી તેની દુકાનનો વેચાણ કરાર પરત આપતો ન હતો. તેમજ તેની દુકાન ખાલી કરાવવા જણાવતો હતો. પંદરેક દિવસ પહેલા આરોપીએ તેની દુકાને જઈ તારે આ દુકાનનો વેચાણ કરાર પાછો જોઈતો હોય તો તારે મને ૧૦ લાખ આપવા પડશે. નહીંતર દુકાન ભુલી જજે. કહી ગાળો દઈ ધમકી આપી દુકાનને તાળા મારી જતો રહ્યો હતો.


