અમદાવાદ: આનંદ નગરમાં વેપારીનો બિલ્ડિંગ પરથી પડતુ મુકીને આપઘાત
- લોકડાઉનને પગલે આર્થિક સંકડામણને કારણે ભરેલું પગલું
અમદાવાદ, તા. 22 જુલાઈ 2020 બુધવાર
આનંદ નગરમાં પ્રહલાદનગર કોર્પોરેટ રોડ પર સફલ પરીવેશમાં રહેતા સુશીલ રામચરણ ટીબરેવાલ ઉંમર વર્ષ 62 એ 21 જુલાઇના રોજ સવારે 10:30 વાગ્યે પોતાના બિલ્ડિંગના ટેરેસ પરથી પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો.
વેપારીએ આર્થિક સંકડામણને કારણે આ પગલું ભર્યું હોવાનું આનંદ નગર પોલીસે જણાવ્યું હતું.