Gujarat
જામનગરમાં નારાયણ નગર વિસ્તારમાં રહેતા મનરોગી યુવાન પર હુમલો કરી માથું ફોડી અને પગ ભાંગી નાખ્યો : પાડોશી સામે ફરિયાદ
By GS TEAM
8 Sep 20251 min read
જામનગરમાં ગુલાબ નગર નજીક નારાયણ નગર વિસ્તારમાં રહેતા નીતિનભાઈ ગૌરીશંકરભાઈ પંડ્યા નામના 63 વર્ષના બુઝુર્ગે પોતાના મનરોગી પુત્રના માથામાં લોખંડનો પાઇપ ફટકારી માથું ફોડી નાખવા અંગે, તેમજ તેના પગમાં પણ પાઇપ ફટકારી ફ્રેક્ચર કરી નાખવા અંગે પાડોશી સામે ફરિયાદ નોંધાવી છે.
Summarized by AI; it may make mistakes. Check important info
જામનગરમાં ગુલાબ નગર નજીક નારાયણ નગર વિસ્તારમાં રહેતા નીતિનભાઈ ગૌરીશંકરભાઈ પંડ્યા નામના 63 વર્ષના બુઝુર્ગે પોતાના મનરોગી પુત્રના માથામાં લોખંડનો પાઇપ ફટકારી માથું ફોડી નાખવા અંગે, તેમજ તેના પગમાં પણ પાઇપ ફટકારી ફ્રેક્ચર કરી નાખવા અંગે પાડોશી સામે ફરિયાદ નોંધાવી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Crime : જામનગરમાં ગુલાબ નગર નજીક નારાયણ નગર વિસ્તારમાં રહેતા નીતિનભાઈ ગૌરીશંકરભાઈ પંડ્યા નામના 63 વર્ષના બુઝુર્ગે પોતાના મનરોગી પુત્રના માથામાં લોખંડનો પાઇપ ફટકારી માથું ફોડી નાખવા અંગે, તેમજ તેના પગમાં પણ પાઇપ ફટકારી ફ્રેક્ચર કરી નાખવા અંગે પાડોશમાં રહેતા ગીરુભા સોઢા સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદીનો પુત્ર કે જે માનસિક રીતે અસ્થીર છે, અને તેની દવા ચાલે છે, જે પોતાના પાડોશીને ઘેર મહાનગરપાલિકા દ્વારા પાણી ક્યારે આવશે, તે બાબતનું પૂછવા માટે જતાં પાડોશીએ ઉશ્કેરાઈ જઈ આ હુમલો કરી દીધો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. જે મામલે સીટી એ. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.








