Get The App

સુરતની સેવાભાવી સંસ્થાએ ગરીબ વિદ્યાર્થીઓ સાયકલ પર સ્કૂલ જવાનું સાકાર કર્યું, લોકો પાસેથી જુની સાયકલો લઈ રિપેર કરાવી વિદ્યાર્થીઓ કરી સહાય

Updated: Jun 3rd, 2025

GS TEAM


Google News
Google News
સુરતની સેવાભાવી સંસ્થાએ ગરીબ વિદ્યાર્થીઓ સાયકલ પર સ્કૂલ જવાનું સાકાર કર્યું, લોકો પાસેથી જુની સાયકલો લઈ રિપેર કરાવી વિદ્યાર્થીઓ કરી સહાય 1 - image


Surat : સુરત સહિત વિશ્વમાં આજે સાયકલ દિવસની ઉજવણી થઈ રહી છે અને લોકો સાયકલના ગુણગાન ગાય રહ્યા છે. પરંતુ સુરતની કેટલીક સંસ્થાઓ અને સેવાભાવી વ્યક્તિ સાયકલનું મહત્વ બારેમાસ જાળવી રહ્યા છે. આ સંસ્થા-વ્યક્તિ લોકો પાસેથી જૂની સાયકલ લઈને તેને રીપેર કરાવી નવી બનાવી જરૂરતમંદ ગરીબ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી રહ્યા છે. આવા લોકોની સહાયના કારણે ગરીબ વિદ્યાર્થીઓનું સાયકલ પર સ્કૂલે જવાનું સપનું સાકાર થઈ રહ્યું છે.

સુરત શહેરમાં સરકારી શાળામાં અભ્યાસ કરતાં હજારો વિદ્યાર્થીઓ શાળાએ પગપાળા જઈ રહ્યા છે તેઓનું સપનું પણ સાયકલ પર જવાનું છે પરંતુ પરિવારની આર્થિક  સ્થિતિના કારણે તેઓ સાયકલ ખરીદી કરી શકતા નથી આવા લોકો માટે સુરતની કેટલીક સંસ્થાઓ તેમના સાયકલના સપનાને સાકાર કરવા માટેની કામગીરી કરી રહ્યાં છે.

સુરતમાં સેવાના કામ કરતી હોપ ચેરીટેબલ ટ્રસ્ટના જીગ્નેશ ગાંધી કહે છે, છેલ્લા ઘણા વર્ષોથી તેઓ સેવાની કામગીરી કરે છે તે દરમિયાન ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ વિદ્યાર્થીઓ શાળાએ જતા હોય છે તેમની સાયકલના સપના અંગે જાણકારી મળી હતી. ત્યારથી આવા વિદ્યાર્થીઓ સાયકલ મળે તે માટે અમે પહેલા લોકો પાસેથી જૂની સાયકલ લઈને તેને રીપેર કરાવી વિદ્યાર્થીઓને આપતા હતા. જોકે, હાલમાં એક કંપનીને આ સાયકલ સેવા અંગેની જાણ તથા તેઓએ ઘણા જ રાહતદરે સાયકલ આપવાનું શરૂ કર્યું છે તેથી હાલ નવી સાયકલ ગરીબ વિદ્યાર્થીઓને આપી રહ્યાં છે. આજ સુધીમાં તેઓએ 350 થી વધુ વિદ્યાર્થીઓને સાઇકલ વિતરણ કરી છે તેના કારણે વિદ્યાર્થીઓ ખુશ થઈ રહ્યાં છે. 

આ સંસ્થાની જેમ જ વ્રજેશ ઉનડકટ પણ સેવા પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે તેઓ કોર્પોરેટર છે પરંતુ વર્ષોથી લોકોને ઘરેથી પસ્તી લઈને તેમાંથી ગરીબ વિદ્યાર્થીઓને મદદ કરતા હતા. તેની સાથે સાથે છેલ્લા એક વર્ષથી તેઓ લોકો પાસે જૂની સાયકલ લઈને રીપેર કરાવી જરૂરતમંદ લોકોને વિતરણ કરી રહ્યાં છે. ઉનડકટ કહે છે કોરોના સમયે લોકો હેલ્થ કોન્સિયસ થયા હતા અને અનેક લોકોએ સાઇકલ ખરીદી હતી પરંતુ સમય જતાં તેઓ ફરી પહેલા જેવી લાઈફ જીવતા થયા હતા. આ ઉપરાંત કેટલાક લોકોને સાયકલનો શોખ હતો તે પણ પૂરો થતાં જૂની સાયકલ ભંગારમાં આપતા હતા અથવા વેચી દેતા હતા. આવા લોકોને સમજાવવાથી તેઓ ગરીબ વિદ્યાર્થીઓ માટે સાયકલ દાન આપતા થયા છે. આવી સાયકલ રીપેર કરાવી પાલિકાની શાળામાં અભ્યાસ કરતા બાળકોને શોધીને તેમને વિતરણ કરવામાં આવી છે અત્યાર સુધીમાં 100 જેટલી સાયકલ વિતરણ કરી છે અને શાળા સત્ર શરુ થાય ત્યારે વધુ સાયકલ આપવામાં આવશે. આમ આવી સંસ્થા કે લોકોના કારણે સંખ્યાબંધ વિદ્યાર્થીઓનું સાયકલ પર શાળાએ જવાનું સપનું સાકાર થઈ રહ્યું છે. 

Tags :