૩૪ વર્ષના શ્રમજીવી યુવકનું હાર્ટ એટેકથી મોત થયું
ખિસ્સામાંથી મળેલા ડ્રાઇવિંગ લાયસન્સના આધારે પોલીસ મરનારના ઘર સુધી પહોંચી
વડોદરા,છૂટક કામ માટે ગયેલા ૩૪ વર્ષના શ્રમજીવીનું હાર્ટ એટેકથી મોત થયું હતું. જે અંગે મકરપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તરસાલી વુડાના મકાન પાસે મેન રોડ પર એક પુરૃષની લાશ પડી હોવાનો મેસેજ મકરપુરા પોલીસને મળતા પોલીસે સ્થળ પર જઇને તપાસ હાથ ધરી હતી. મરનારના ખિસ્સામાંથી મળેલા ડ્રાઇવિંગ લાયસન્સના આધારે પોલીસે તેમના સગાનો સંપર્ક કરતા મરનારનું નામ રાજેન્દ્રપ્રસાદ માલીરામ મવાલીયા (ઉં.વ.૩૪) (રહે. ખોડિયાર નગર,માહી નગર, ગોત્રી રોડ) હોવાનું જાણવા મળ્યું હતું. તેઓ અન્ય શ્રમજીવીઓ સાથે કામ કરવા ગયા હતા. તે દરમિયાન તેઓનું મોત થયું હતું. બનાવ અંગે મકરપુરા પોલીસ સ્ટેશનના હે.કો. જૈમીનકુમારે વધુ તપાસ હાથ ધરી હતી. ડોક્ટરે પ્રાથમિક તપાસ બાદ હાર્ટ એટેકથી મોત થયું હોવાનું જણાવ્યું હતું.