Gujarat

ગાંધીનગરમાં ચૌધરી કોલેજમાં ભણતી 19 વર્ષીય વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાધો, તંત્રમાં દોડધામ

By GS TEAM
22 Jan 20262 mins read
TukuTouch Logo
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં અભ્યાસ અર્થે આવેલી 19 વર્ષીય યુવતીએ હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવને પગલે સાથી વિદ્યાર્થીઓમાં ભય અને શોકનો માહોલ ફેલાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગાંધીનગરમાં ચૌધરી કોલેજમાં ભણતી 19 વર્ષીય વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાધો, તંત્રમાં દોડધામ

Gandhinagar Chaudhray College News : ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં અભ્યાસ અર્થે આવેલી 19 વર્ષીય યુવતીએ હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવને પગલે સાથી વિદ્યાર્થીઓમાં ભય અને શોકનો માહોલ ફેલાયો છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક યુવતી પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના સાનિયાતાર ગામની રહેવાસી હતી. તે ગાંધીનગરના સેક્ટર-7 સ્થિત ચૌધરી કોલેજમાં અભ્યાસ કરતી હતી અને અહીંની જ હોસ્ટેલમાં રહીને પોતાનું ભવિષ્ય ઘડી રહી હતી. કોઈ અગમ્ય કારણોસર યુવતીએ પોતાની હોસ્ટેલના રૂમમાં જ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. ઘટનાની જાણ થતાં જ હોસ્ટેલ સંચાલકો અને સાથી વિદ્યાર્થીઓમાં દોડધામ મચી ગઈ હતી. મૃતકની ઓળખ શિવાની  ભોજાભાઈ આહીર તરીકે થઇ છે. તેની વય 19 વર્ષ છે અને તે પાટલ જિલ્લાના રાધનપુર તાલુકામાં આવેલા સાનિયાતર ગામની રહેવાશી છે. 

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે શિવાની ગઈકાલથી જ ગુમ હતી. ત્યારે તપાસ હાથ ધરવામાં આવતા તેનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. હાલમાં તેનો મૃતદેહ કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. આ બનાવ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને રૂમનો કબ્જો લઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે.

પોલીસે હાલ આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આપઘાત પાછળના કારણને જાણવા માટે તપાસ શરૂ કરી છે. સાથી વિદ્યાર્થીઓ અને હોસ્ટેલ સ્ટાફની પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી આ દુઃખદ પગલા પાછળનું સાચું કારણ બહાર આવી શકે. આ ઘટનાને પગલે શૈક્ષણિક આલમમાં શોકની લાગણી પ્રસરી છે.