Gujarat

જામનગર પાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે બનાવાયેલા બન્ને વિસર્જનકુંડમાં ગઈકાલે 72 ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરાયું

By GS TEAM
29 Aug 20251 min read
TukuTouch Logo
જામનગર મહાનગરપાલિકા દ્વારા ગણપતિ વિસર્જન માટે શહેરના અલગ અલગ વિસ્તારમાં બે વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં ગઈકાલના દિવસ દરમિયાન 72 ગણપતિજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર પાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે બનાવાયેલા બન્ને વિસર્જનકુંડમાં ગઈકાલે 72 ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરાયું

Jamnagar Ganesh Visarjan : જામનગર મહાનગરપાલિકા દ્વારા ગણપતિ વિસર્જન માટે શહેરના અલગ અલગ વિસ્તારમાં બે વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં ગઈકાલના દિવસ દરમિયાન 72 ગણપતિજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

 જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ગણેશજીની સ્થાપના થઇ છે, ત્યારબાદ ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. પર્યાવરણની જાળવણી કરવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ જામનગર મહાનગરપાલિકા દ્વારા બે કૃત્રિમ વિસર્જન કુંડની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેમાં પ્રથમ વિસર્જનકુંડ વિશાલ હોટલ પાસે બનાવાયો છે, તે સ્થળે ગઈકાલે 51 ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જયારે બીજો વિસર્જનકુંડ લાલપુર બાયપાસથી રણજીતસાગર જતાં સરદાર રીવેરા સોસાયટી પાસે બનાવાયો છે, જ્યાં ગઈકાલે 21 ગણપતિની મૂર્તિનું વિસર્જન કરાયું હતું. આમ કુલ બે દિવસ દરમિયાન 73 ગણપતિની મૂર્તિનું વિસર્જન કરી લેવાયું છે. જે બંને સ્થળે જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ તથા અલગ અલગ વિભાગની ટુકડી તહેનાત રાખવામાં આવી છે.