અમદાવાદના નારણપુરામાં પડોશીએ 7 વર્ષના બાળક પર ગુજાર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, ફૂગ્ગાની લાલચ આપી હતી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News : અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ તમામ હદો વટાવી પોતાના જ પડોશમાં રહેતા માત્ર 7 વર્ષના નિર્દોષ બાળકને હવસનો શિકાર બનાવ્યો હતો. આ ઘટનાએ સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને અરેરાટી ફેલાવી દીધી છે. પીડિત બાળકની માતા મજૂરી કરી ઘર ચલાવે છે, ત્યારે તેમની ગેરહાજરીમાં બનેલી આ ઘટનાએ સુરક્ષા સામે પણ સવાલો ઉભા કર્યા છે.
નારણપુરામાં પડોશીએ 7 વર્ષના માસૂમ બાળક પર ગુજાર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરના નારણપુરામાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવતી એક મહિલાના દોહિત્ર (દીકરીના પુત્ર) પર પડોશમાં જ રહેતા એક શખસે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. આરોપીએ 7 વર્ષના માસૂમ બાળકને ફૂગ્ગો અપાવવાની લાલચ આપી પોતાની પાસે બોલાવીને એકાંતમાં લઈ ગયો હતો અને બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.
આ પછી બાળક લોહીલુહાણ હાલતમાં રડતા રડતા ઘરે પહોંચ્યો ત્યારે પરિવારને આખી ઘટનાની જાણ કરતાં પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. સમગ્ર મામલે પરિવારે તાત્કાલિક નારણપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ વિકૃત માનસિકતા ધરાવતા આરોપીની ધરપકડ કરી લીધી છે અને હાલમાં આ મામલે કડક કાયદેસરની તપાસ ચલાવવામાં આવી રહી છે.
આ ઘટના અંગે B ડિવિઝનના ACPએ જણાવ્યું હતું કે, બાળકને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને તાત્કાલિક પોક્સો એક્ટ અને અપહરણની કલમો હેઠળ ફરિયાદ નોંધી છે. પોલીસે મેડિકલ પુરાવા અને FSL રિપોર્ટના આધારે આરોપી વિરુદ્ધ મજબૂત પુરાવા એકઠા કરવાની તજવીજ હાથ ધરી છે.








