- સ્વામિત્વ યોજના હેઠળ સર્વે કામગીરી પૂર્ણતા તરફ
- ડ્રોન સર્વે કરાયેલ 53 ગામોની કામગીરી બાકી, સૌથી વધુ તળાજા, મહુવા, ભાવનગર અને પાલીતાણામાં પ્રોપર્ટી કાર્ડ ઈસ્યુ થયા
મિલકતનો પાકો આધાર એટલે પ્રોપર્ટી કાર્ડ છે. જ્યારે ગામ તળની આવી ઘણી મિલકતો હાલ માત્ર ગામના નમુના પર આધારીત છે. જ્યારે આવી મિલકતોને નિયમાનુસાર કરવા સ્વામિત્વ યોજના અમલી બનાવાઈ છે. ૨૪ જાન્યુ. ૨૦૨૨થી લાગુ કરાયેલ છે અને આ યોજના હેઠળ પ્રથમ તલાટી દ્વારા મિલકતની બાઉન્ડ્રી પર ચુના માર્કીંગ કરાય છે અને ત્યારબાદ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા ડ્રોન ઉડાડી સર્વે કરવામાં આવે છે. જેના રીપોર્ટનું ક્રોસ વેરીફીકેશન કરવા એનજ્સીના આવેલા ડેટા સાથે ડીએસઆર કચેરીમાંથી સર્વેયર દ્વારા વેરીફીકેશન રૂબરૂ કરી જે તે મિલકતના ડેટા અપલોડ કરી પ્રોપર્ટી કાર્ડ ઈસ્યુ કરવામાં આવે છે. જેથી ગામની તમામ જમીનની હદ નક્કી થાય છે. મકાન પર બેંક લોન લેવા સહિતનો લાભ મિલકત ધારકને મળી શકે છે. આમ સ્વામિત્વ યોજના હેઠળ ભાવનગર જિલ્લાનાં ૧૦ તાલુકાનાં ૬૩૬ ગામોને આવરી લેવાયા છે અને ચુના માર્કિંગ બાદ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા ડ્રોન ઉડાડી જિલ્લાનાં ૫૯૮ ગામના રીપોર્ટ કચેરીને સોપાયો છે. જેમાં સર્વેયર દ્વારા હાલ ૫૪૫ ગામોના પ્રમોલગેશન થવા પામ્યા છે. જેની કુલ ૪૨૨૦૯ મિલકતના પ્રોપર્ટી કાર્ડ બની મિલકત ધારકોને વિતરણ કરી દેવાયા હોવાનું જણાયું છે. જેમાં તળાજા, મહુવા, ભાવનગર અને પાલીતાણામાં સૌથી વધુ પ્રોપર્ટી કાર્ડ વિતરણની કામગીરી થવા પામી હોવાનું જણાય છે. જ્યારે મંજુર થયેલ ગામો પૈકી ૫૩ ગામોનો સર્વે હજુ બાકી રહેવા પામયો છે. જ્યારે છેલ્લા છ માસમાં ૪૮૯૬ પ્રોપર્ટી કાર્ડ ડીએસઆર કચેરી દ્વારા વિતરણ કરવામાં આવ્યા છે. જો કે હાલ જે કામગીરી બાકી છે તેમાં પણ ઝડપ લાવી પૂર્ણતા તરફ આગળ વધી રહી છે.
5 વર્ષનાં અંતે સ્વામિત્વ યોજનાની થયેલ કામગીરી
|
તાલુકો |
ગામ |
પ્રોપર્ટી
કાર્ડ |
|
ઉમરાળા |
૩૩ |
૨૨૬૩ |
|
ગારિયાધાર |
૩૪ |
૩૧૧૨ |
|
ઘોઘા |
૪૦ |
૩૯૭૪ |
|
જેસર |
૨૪ |
૧૫૦૬ |
|
તળાજા |
૭૬ |
૬૦૮૮ |
|
પાલીતાણા |
૭૫ |
૫૩૧૮ |
|
ભાવનગર |
૬૧ |
૫૫૭૬ |
|
મહુવા |
૧૦૫ |
૫૬૧૮ |
|
વલભીપુર |
૪૧ |
૪૩૬૯ |
|
સિહોર |
૫૬ |
૪૩૮૫ |
|
કુલ |
૫૪૫ |
૪૨૨૦૯ |


