Gujarat

માણેજામાં 55 વર્ષીય મહિલાનો અગમ્ય કારણોસર આપઘાત

By GS TEAM
12 May 20261 min read
TukuTouch Logo
વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી આપઘાતના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. શહેરના માણેજા ક્રોસિં સેક્સગ પાસે આવેલી એક સોસાયટીમાં આધેડ વયની મહિલાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે

Summarized by AI; it may make mistakes. Check important info

માણેજામાં 55 વર્ષીય મહિલાનો અગમ્ય કારણોસર આપઘાત

Vadodara : વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી આપઘાતના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. શહેરના માણેજા ક્રોસિં સેક્સગ પાસે આવેલી એક સોસાયટીમાં આધેડ વયની મહિલાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, શહેરના માણેજા ક્રોસિંગ નજીક આવેલી અંબિકા નિકેતન સોસાયટીમાં રહેતા 55 વર્ષીય મંજુલાબેન પરમારે ગતરોજ પોતાના નિવાસસ્થાને અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી હતી. ઘટના સમયે પરિવારના સભ્યોને જાણ થતા જ તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. મંજુલાબેને કયા સંજોગોમાં અને કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું? તે હજુ જાણી શકાયું નથી. બનાવની જાણ થતા મકરપુરા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે પંચનામું કરી જરૂરી પુરાવા એકત્ર કર્યા હતા. ત્યારબાદ, મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મંજુલાબેનના નિધનથી અંબિકા નિકેતન સોસાયટીમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.