સુરતમાં કોરોનામાં નવા ૪૮ કેસ સામે ૫૪ દર્દીઓ સાજા થયા
- સિટમાં ૪૬ અને જીલ્લામાં ૨ કેસ : એકટીવ ૩૯૭ કેસ
સુરત :
સુરતમાં શુક્રવારે સિટીમાં કોરોનામાં ૪૬ અને જીલ્લામાં ૨ મળી નવા ૪૮ દર્દી સંક્રમિત થયા છે. જયારે સિટીમાં ૫૪ દર્દીઆનેે ડિસ્ચાર્જ મળ્યો હતો.
આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ સુરત સિટીમાં શુક્રવારે કોરોનામાં વધુ ૪૬ કેસ નોધાયો છે.જેમાં સૌથી વધુ લિંબાયતમાં ૧૧,રાંદેરમાં ૪,કતારગામમાં ૭ અને સેન્ટ્રલમાં ૭, અઠવામાં ૬, વરાછા એમાં ૧, વરાછા બીમાં ૬, ઉધના એમાં ૨ અને ઉધા બી ઝોનમાં ૨ દર્દી સંક્રમિત થયા છે. જેમાં એક વિધાર્થી સહિતના સમાવેશ થાય છે. જયારે સિટીમાં ૫૪ દર્દીઓે સાજા થતા રજા આપવામાં આવી છે. સિટીમાં કુલ ૩૪૩ એકટીવ કેસ પૈકી ૨દર્દી હોસ્પિટલમાં દાખલ છે. આ સાથે સુરત જીલ્લામાં નવા ૨ દર્દી સંપડાયા છે. જયારે ૦ દર્દીઓને રજા આપી છે. જોકે જીલ્લામાં કુલ ૫૪ એકટીવ કેસ છે. જયારે સિટી અને જીલ્લામાં મળી એકટીવ કેસ કુલ ૩૯૭ થયા છે.