Get The App

રાજકોટમાં 50 ટકા સિટી બસો ડ્રાઈવરના અભાવે બંધ!

Updated: May 29th, 2025

GS TEAM


Google News
Google News
રાજકોટમાં 50 ટકા સિટી બસો ડ્રાઈવરના અભાવે બંધ! 1 - image


કરોડોની નવી બસો ખડકી દીધી અને ડ્રાઈવરો નથી : ફેક્ટ ફાઈડીંગ કમિટિ નિરર્થક 40 દિવસ પછી પણ મનપાએ અકસ્માતનું કારણ જાહેર ન કર્યું કે બસ સેવા પૂર્વવત્ ન કરી

રાજકોટ : રાજકોટમા  ઈન્દિરા સર્કલ પાસે ડ્રાઈવરની ગુનાહિત બેદરકારીના કારણે નિર્દોષ વાહનચાલકો ઉપર બસ ચડાવી દઈને 4 વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નીપજાવ્યાના ગત તા. 18 એપ્રિલના બનાવ બાદ એક યા બીજા કારણે ખોરવાયેલી સિટી બસ સેવા હજુ પણ પૂર્વવત્ થઈ નથી. આજે મનપામાં તપાસ કરતા કૂલ 238 સિટી બસોમાંથી માત્ર 111 સિટી બસો જ ચાલી રહી છે.

શહેરના રોજ  30,000 મુસાફરોની સિટી બસ સુવિધા છિનવાઈ છે છતાં પદાધિકારીઓ કે અધિકારીઓ કે જેઓ પ્રજાના ખર્ચે કારમાં મુસાફરી કરે છે તેઓ પ્રશ્ન હલ કરી શક્યા નથી. હાલ બી.આર.ટી.એસ.રૂટ પર 28 ઈલેક્ટ્રીક બસો રાબેતા મૂજબ ચાલે છે, જ્યારે સિટી બસોમાં માત્ર 20 ઈલેક્ટ્રીક અને 35 CNG બસો જ ચાલી રહી છે. 

સિટી બસના અકસ્માતનું કારણ આમ નાગરિકને પણ જ્યારે આર.ટી.ઓ.એ ઈન્સપેક્શન કરીને બસમાં બ્રેક ફેઈલ જેવી કોઈ ક્ષતિ ન્હોતી તે જાહેર કર્યું ત્યારે જ સમજાઈ ગયું હતું કે ડ્રાઈવરે બ્રેકને બદલે એક્સીલેટર ઉપર પગ દબાવી દીધો હતો અને લોકોને કચડયા હતા. પરંતુ, મ્યુનિ.કમિશનરે આ કારણ શોધી તારણ આપવા ઉચ્ચકક્ષાની ફેક્ટ ફાઈન્ડીંગ કમિટિ રચી નાંખી હતી અને 40 દિવસ બાદ પણ આ કમિટિએ તેનો રિપોર્ટ હજુ આપ્યો નથી જેથી આવી કમિટિ જનમાનસમાં માત્ર નિર્રથક હોવાની છાપ ઉપસી છે.કમિશનરે ત્યારે પ્રચંડ લોકરોષ અન્વયે અર્ધો ડઝન હૂકમો જારી કરી નાંખ્યા પરંતુ, બાદમાં સિટી બસને વધુ સલામત બનાવીને પૂર્વવત્ 60,000 નાગરિકો લાભ લઈ શકે તે રીતે 224 બસો ચાલતી કરવામાં તંત્રને નિષ્ફળતા મળી છે.હવે ટૂંક સમયમાં વેકેશન ખુલતા સિટી બસની માંગ વધશે ત્યારે લોકોની હાલાકી પણ વધશે. 

Tags :