Get The App

રાજકોટમાં માત્ર એક સપ્તાહમાં 50,000 મિલ્કતોનો ટેક્ષ ચૂકતે!

Updated: Apr 15th, 2022

GS TEAM

Google News
Google News
રાજકોટમાં માત્ર એક સપ્તાહમાં 50,000 મિલ્કતોનો ટેક્ષ ચૂકતે! 1 - image


કરવેરાનો દર ઓછો, આકર્ષક વળતર અને ઓનલાઈન સુવિધાનું પરિણામ :  મનપાને ઓફિસ બેઠા રૂ।. 21 કરોડની આવક: 70 ટકાથી  વધુ લોકોએ વેબસાઈટ પર ઓનલાઈન હાઉસટેક્ષ ચૂકવ્યો 

રાજકોટ, : તંત્ર કરવેરાના દર ન્યુનત્તમ રાખે અને ઉપરથી આકર્ષક વળતર આપે અને ટેક્સ  ચૂકવવા ઓનલાઈન સુવિધા આપે તો લોકો કર ચૂકવવામાં પ્રમાણિક, નિયમિત છે તે સરકારના અન્ય તંત્રોએ ધડો લેવા જેવી વાત આજે વધુ એક વાર મનપામાં નોંધાઈ છે. માત્ર એક સપ્તાહમાં જ રાજકોટમાં 50,011 મિલ્કતો પર રૂ।. 21.93 કરોડનો વેરો મનપામાં લોકોએ સામેથી ભરી દીધો છે.

સરકારની કચેરીઓથી અલગ, મનપા એડવાન્સ ટેક્સ ઉપર 10 અને 15 ટકા વળતર 30 જૂન સુધી ટેક્સ ભરનારાને આપે છે. આ વળતરમાં આ વખતે નિયમિત ત્રણ વર્ષથી વેરો ભરનારાને વધુ 1 ટકો, ઉપરાંત ઓનલાઈન વેરો ભરે તો વધુ 1 ટકો વળતર મળે છે (વિજબિલ ચૂકવવા એક ટકો વધુ ચૂકવવો પડે ) એ રીતે  10ને બદલે 12 ટકા અને મહિલાના નામે મિલ્કત હોય તો 17 ટકા વળતર મળે છે. ઉપરાંત, સરકારની અન્ય વેબસાઈટ કરતા આરએમસી વેબસાઈટ પર સરળતાથી પેમેન્ટ થઈ શકે છે અને વોટ્સએપ સેવાથી પણ ટેક્સ ભરી શકાય છે.   આને કારણે લોકોમાં આશ્ચર્યજનક રીતે ટેક્સ ભરવામાં  ઉત્સાહ જોવા મળ્યો છે. 

50,000 લોકોએ સપ્તાહમાં ટેક્સ ભર્યો તેમાં 35,000થી વધુ, એટલે કે 70  ટકા લોકોએ ઓનલાઈન  ટેક્સ ચૂકવ્યો છે. જે કારણે ચાર વર્ષ પહેલા મનપા કચેરીએ ટેક્સ ભરનારાની લાંબી કતારો લાગતી તે સમસ્યા હલ થઈ છે. લોકોને હવે ધોમધખતા  કચેરીએ જઈને ટેક્સ ભરવાનું પસંદ નથી હોતું.

Tags :