નડિયાદમાં બાકી વેરા મામલે શીતવંદન કોમ્પલેક્સની 5 દુકાનો સીલ કરાઈ
- સતત ત્રીજા દિવસે મહાનગરપાલિકાની વેરા વસૂલાત
- કોમ્પલેક્સ માલિકની મુખ્ય ઓફિસનો 82 હજાર સહિત રૂપિયા 6 લાખ વેરો બાકી હોવાથી કાર્યવાહી
નડિયાદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા આજે મહાગુજરાત નજીક શીતવંદન કોમ્પલેક્ષમાં પહોંચી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં કોમ્પ્લેક્સના માલિકની ઓફિસથી માંડી ઉપરના માળે ચાર દુકાનો સીલ કરવામાં આવી છે. કોમ્પ્લેક્સના માલિકની મુખ્ય ઓફિસનો ૮૨૦૦૦ જેટલો વેરો બાકી છે. જ્યારે ઉપરની તમામ ચાર દુકાનોનો લાખથી દોઢ લાખ જેટલો વેરો મળી કોમ્પ્લેક્ષની પાંચ દુકાનોમાં અંદાજિત ૬ લાખ જેટલો વેરો બાકી છે. જે મામલે મનપા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. હવે મનપાની ટીમ શહેરની જાણીતી હોટલમાં કાર્યવાહી માટે પહોંચી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ દિવસથી મહાનગરપાલિકાની ટીમ દ્વારા વેરા વસુલાતની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં પીપલક ચોકડી બાદ હવે ત્રણ જેટલા કામમાં તપાસ બાદ આજે વધુ બે એકમોમાં કાર્યવાહી હાથ કરવામાં આવી છે.