સાણંદમાં યુવકનું અપહરણ કરનાર 5 આરોપી ઝડપાયા
ગુનામાં
વપારાયેલી કાર હથિયાર જપ્ત કરાયા
પ્રેમ
સંબંધની આશંકામાં યુવાકનું અપહરણ કરી બેફામ માર માર્યો હતો
સાણંદ -
સાણંદ શહેરમાં પાંચ દિવસ પહેલા પ્રેમ સંબંધની આશંકામાં યુવાકનું
અપહરણ કરી બેફામ માર માર્યો હોવાની ઘટના બની હતી. આ ઘટનામાં પોલીસે પાંચેય આરોપીને
અપહરણમાં વપરાયેલી કાર, હથિયારો સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ
ધરી છે.
સાણંદ
શહેરના મોટો ઠાકોરવાસમાં રહેતા લક્ષ્મણભાઇ ઉર્ફે કનુભાઇ ઠાકોરને તેની દીકરી સાથે સાણંદ
પંથકમાં રહેતા એક યુવક પ્રેમ સંબંધમાં હોવાની શંકા હતી. જેમાં ગત ૩૧મી મે ૨૦૨૫ના રોજ
બપોરના ત્રણ કલાકની આસપાસ એકલિંગજી તરફ જવાના રોડ ઉપર આવેલ સ્મશાન નજીક ત્રણ રસ્તા
ખાતેથી યુવકને લક્ષ્મણભાઇ સહિતના પાંચ શખ્સો કારમાં અપહરણ કરી નિધરાડ ગામના સ્મશાન
ખાતે લઈ જઈ ગયા હતા. જ્યાં આરોપીઓએ યુવકને અપશબ્દો બોલી ગડદાપાટુ તથા લોખંડની પાઇપ
તેમજ લાકડીઓથી માર માર્યો હતો. જે અંગે યુવકે ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદની
તપાસ કરતા સાણંદ પોલીસે કાર તથા હથીયારો સાથે (૧) લક્ષ્મણભાઇ કનુભાઇ છનાજી (ઉ.વ.૪૨, જાતે.ઠાકોર, રહે.મોટો ઠાકોરવાસ, સાણંદ), (૨)
જયેશ ભરતભાઇ ઉર્ફે કાળુભાઇ ડાભી (ઉ.વ.૨૭, રહે. પરાવાસ
બળીયાદેવના મંદીરની પાસે નિધરાડ ગામ, તા.સાણંદ), (૩) રણછોડભાઇ અંબાલાલ ઠાકોર (ઉ.વ.૨૯, રહે.બળીયાદેવના
મંદીરની પાસે નિધરાડ ગામ, તા.સાણંદ), (૪)
જગદીશભાઇ બબાજી વાઘેલા (ઉ.વ.૩૨, રહે.રેલ્વે સ્ટેશન પાસે,
નિધરાડ ગામ, તા.સાણંદ), (૫) વિક્રમભાઇ ઘનશ્યામભાઇ વાઘેલા (ઉ.વ.૩૫, રહે.પીપળીયાવાસ,
ચેખલા ગામ, તા.સાણંદ)ને પકડી પાડી કાર્યવાહી
હાથ ધરી છે.