ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં આણંદ જિલ્લાના 4 ના મોત
- બગદાણા દર્શને જતા પરિવારના નિકટના 5 સભ્યોની કાર નદીમાં ખાબકતા ખંભાતના ઉંદેલના યુવકનું મોત
- બાઈક પડતા આંકલાવના દેવા પુરાના 22 વર્ષના યુવાનનું મૃત્યુ
આંકલાવ તાલુકાના દેવાપુરા ગામે રહેતા ૨૨ વર્ષીય અપરણિત રાજેશભાઈ ઈશ્વરભાઈ ચાવડા ડભાસા નજીક મહલી ખાતે આવેલી કંપનીમાં નોકરી કરતા હતા. રાબેતા મુજબ આજે સવારના સુમારે તેઓ દેવાપુરા ખાતેથી નોકરીએ જવા બાઈક લઈને નીકળ્યા હતા અને લગભગ સવારના ૭ઃ૩૦ કલાકની આસપાસના સુમારે તેઓ ગંભીરા બ્રિજ ઉપર થઈ પસાર થઈ રહ્યા હતા. ત્યારે અચાનક બ્રિજનો એક ભાગ તૂટીને નદીમાં ખાબકતા રાજેશભાઈ ચાવડા પણ બાઈક સાથે નદીમાં ખાબક્યા હતા અને તેમનું કરુણ મોત નીપજતા સમગ્ર ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. ખેત મજૂરી કરીને જીવન ગુજરાન ચલાવતા ઈશ્વરભાઈ ચાવડાના પરિવારના ૨૨ વર્ષીય પુત્રનું આ દુર્ઘટનામાં મૃત્યુ થતાં પરિવાર ઉપર આભ તૂટી પડયું હતું. પરિવારજનોને ક્યાં ખબર હતી કે રાજેશ ચાવડા કંપનીમાં નોકરી માટે જાય છે તે સફર તેની જિંદગીની પણ આખરી સફર હશે !
આણંદ જિલ્લાના મૃતકોની યાદી
મૃતકનું
નામ |
ઉંમર |
સરનામુ |
રાજેશભાઈ
ઈશ્વરભાઈ ચાવડા |
૨૨ |
દેવાપુરા
ગામ, આંકલાવ |
પ્રવિણભાઈ
રાવજીભાઈ જાદવ |
૩૩ |
ઉંદેલ
ગામ, ખંભાત |
કાનજીભાઈ
મેલાભાઈ માછી |
૪૦ |
ગંભીરા, આંકલાવ |
જશુભાઈ
શંકરભાઈ |
૬૫ |
ગંભીરા, આંકલાવ |