Get The App

ભાવનગરમાં કોરોના વાયરસના વધુ 4 કેસ નોંધાયા, 2 દર્દી કોરાના મુક્ત

Updated: Jun 10th, 2025

GS TEAM


Google News
Google News
ભાવનગરમાં કોરોના વાયરસના વધુ 4 કેસ નોંધાયા, 2 દર્દી કોરાના મુક્ત 1 - image


- શહેરમાં કોરોના વાયરસના 25 એક્ટીવ કેસ 

- જવેલ્સ સર્કલ, વિદ્યાનગર, ખેડૂતવાસ, ભરતનગર સહિતના વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા 

ભાવનગર : ભાવનગર શહેરમાં આજે સોમવારે કોરોના વાયરસના વધુ ૪ કેસ નોંધાયા છે, જયારે વધુ ર દર્દી કોરોના મૂક્ત થયા છે. કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે, જેના પગલે લોકોમાં ફફડાટ ફેલાયો છે. 

ભાવનગર શહેરમાં આજે સોમવારે કોરોના વાયરસના વધુ ૪ કેસ નોંધાયા છે, જેમાં શહેરના જવેલ્સ સર્કલ વિસ્તારમાં રહેતા ૬૬ વર્ષના પુરૂષ (ટ્રાવેલ હિસ્ટ્રી સુરેન્દ્રનગર), વિદ્યાનગરમાં રહેતા ર૩ વર્ષના પુરૂષ, ખેડૂતવાસમાં રહેતા રર સ્ત્રી (ટ્રાવેલ હિસ્ટ્રી મહુવા) અને ભરતનગર વિસ્તારમાં રહેતા ૪૯ વર્ષના સ્ત્રી વગેરેનો સમાવેશ થાય છે. આ દર્દીઓની તબીયત બગડતા તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને તેઓને કોરોનાના લક્ષણો હોવાથી રિપોર્ટ કરવામાં આવ્યા હતા. દર્દીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો પરંતુ તેની તબીયત સારી હોવાથી હાલ ઘરે સારવાર હેઠળ રાખવામાં આવેલ છે તેમ મહાપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવેલ છે. 

શહેરમાં આજે વધુ ર દર્દી કોરોના મૂક્ત થયા હતાં. શહેર અને જિલ્લામાં છેલ્લા ૧૯ દિવસમાં કોરોનાના કુલ ૩૯ કેસ નોંધાયા છે, જેમાં શહેરમાં કોરોનાના ૩૮ કેસનો સમાવેશ થાય છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૧૩ દર્દી કોરોના મૂકત થયા છે, જયારે કોરોનાના રપ દર્દી હાલ ઘરે સારવાર હેઠળ છેે. કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે ત્યારે લોકોએ સાવચેત રહેવુ જરૂરી છે તેમ આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવેલ છે. 

Tags :