Gujarat

ધ્રાંગધ્રામાં અંધારામાં રાખી 4 શખ્સે ખેડૂત પાસેથી જમીન પડાવી લીધી

By GS TEAM
18 Mar 20261 min read
ધ્રાંગધ્રામાં અંધારામાં રાખી 4 શખ્સે ખેડૂત પાસેથી જમીન પડાવી લીધી

પોલીસ મથકે ચાર શખ્સ વિરૃદ્ધ ફરિયાદ

ખેડૂતને છ લાખ ઉછીના આપી લખાણના બહાને પાવર ઓફ એટર્નીમાં સહી કરાવી છેતરપિંડી આચરીંગધ્રા,

તા.૧૭ ધ્રાંગધ્રાના કુંભારપરા વિસ્તારમાં રહેતા ખેડૂત પ્રેમજીભાઈ પુનાભાઈ લકુમે ગત તા.૧૧ ફેબુ્રઆરીના રોજ રૃપિયાની જરૃરીયાત હોય કુંભારપરામાં રહેતા શની રમેશભાઈ લામકા પાસે રૃ.૦૬ લાખની મદદ માટે જણાવ્યું હતું.

બે દિવસ બાદ શની લામકા અને સંજયભાઈ મનુભાઈ સરૈયાએ પ્રેમજીભાઈને રૃ.૦૬ લાખ હાથ ઉછીના આપી લખાણ કરવાના બહાને રજીસ્ટર પાસે લઈ ગયા હતા અને અંગ્રેજીમાં પાવર ઓફ એટર્નીમાં સહી કરાવી લીધી હતી તેમજ બાદમાં જમીનનો ૨૫% હિસ્સો સુરેશભાઈ નાનુભાઈ રાતડિયાને વેચાણ કરી આપ્યો હતો. આ અંગે પ્રેમજીભાઈને જાણ થતા પોતાને અંધારામાં રાખી ૨૫% જમીનનો દસ્તાવેજ રોકવા માટે સેવા સદન ખાતે તકરારી કેસ દાખલ કર્યો હતો. જ્યારે રૃ.૦૬ લાખ આપવાના બદલામાં છેતરપિંડી આચરનાર (૧) શનિ રમેશભાઈ લામકા (૨) સંજય મનુભાઈ સરૈયા (૩) સાક્ષીમાં સહિત કરનાર ચંદ્રેશ ગોપાલભાઈ ગોલતર તથા (૪) જમીન ખરીદનાર સુરેશ નાનુભાઈ રાતડીયા વિરુધ ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.