Gujarat

જામજોધપુરના પરડવા ગામમાં પ્રેમ લગ્ન કરનાર યુવતીના પિતાના 4 મળતીયાઓએ હંગામો મચાવ્યો

By GS TEAM
17 Dec 20251 min read
TukuTouch Logo
યુવતીના ઘરમાં મોડી રાત્રે ઘુસી જઇ બારી-બારણાંમાં તોડફોડ કરી એક સ્કૂટરમાં પણ નુકસાન પહોંચાડ્યાની પોલીસ ફરિયાદ

Summarized by AI; it may make mistakes. Check important info

જામજોધપુરના પરડવા ગામમાં પ્રેમ લગ્ન કરનાર યુવતીના પિતાના 4 મળતીયાઓએ હંગામો મચાવ્યો

Jamnagar : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં રહેતી દિશાબેન મયુરભાઈ ખૂંટી નામની યુવતીએ આજથી અઢી મહિના પહેલાં પ્રેમ લગ્ન કર્યા હોવાથી તેનું મનદુઃખ રાખીને દિશાબેનના પિતાના સાગરીતો એવા 4 શખ્સોએ આવીને મોડી રાત્રે ઘરમાં હંગામો મચાવ્યો હતો, અને તોડફોડ કરી નાખી હતી. 

ધારીયું, લાકડી, પાઇપ,ધોકા જેવા હથિયારો સાથે ધસી આવેલા ચાર શખ્સોએ દિશાબેનના ઘરના બારી બારણાંના કાચ તોડી નાખ્યા હતા, જ્યારે બહાર પાર્ક કરેલું એક સ્કૂટર, કે જેમાં પણ તોડફોડ કરી નુકસાની પહોંચાડી હતી, અને ધાકઘમકી આપી ભાગી છૂટ્યા હતા. જે મામલે દિશાબેન મયુરભાઈ ખૂંટીએ જામજોધપુર પોલીસ મથકમાં પોતાના ઘરમાં તોડફોડ કરવા અંગે પ્રેમસિંગ મોરી, વિજયભાઈ ભલાભાઇ વાઘેલા, રાજુભાઈ કુછડીયા અને મુરુભાઈ ખૂંટી સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર દિશાબેન કે જેમણે આજથી અઢી મહિના પહેલા મયુરભાઈ કારાભાઈ ખૂંટી સાથે પોરબંદરમાં પ્રેમ લગ્ન કરી લીધા હતા, અને ત્યારબાદ અમરાપર મયુરભાઈની વાડીમાં આવીને ખેતી કામ કરતા હતા. જે દરમિયાન દિશાબેનના પિતાના ચાર સાગરીતોએ પ્રેમ લગ્નનો ખાર રાખીને હંગામો મચાવ્યો હોવાનું અને નુકસાની પહોંચાડયું હોવાનું પોલીસમાં જાહેર કર્યું છે. જે મામલે પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.એમ.કંચવા વધુ તપાસ ચલાવી રહ્યા છે.