જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસેથી યુવાનના અપહરણના પ્રકરણના ફરાર વધુ 4 આરોપીઓની પણ અટકાયત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Kidnapping Case : જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસેથી આજથી એક સપ્તાહ પહેલા પાંચ શખ્સો દ્વારા એક યુવાનનું પ્રેમ પ્રકરણના મામલે અપહરણ કરાયું હતું, અને તેને માર મારવામાં આવ્યો હતો. જે પ્રકરણમાં પોલીસે અગાઉ એક આરોપીની અટકાયત કરી હતી, જે પ્રકરણના અન્ય ચાર ફરાર આરોપીઓની પણ અટકાયત કરી લેવાઈ છે. જ્યારે ઇકો કાર પણ કબજે કરી લીધી છે.
જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસેથી સુરેશભાઇ ટોયટા નામના ભરવાડ યુવાનનું એક સપ્તાહ પહેલા અપહરણ કરાયું હતું, અને પિયુષ ભીમભાઈ ચિરોડ્યા નામના શખ્સ તેમજ અન્ય 4 સાગરિતોને સાથે રાખીને અપહરણ કરી ગયા હતા, અને તેને માર મારવામાં આવ્યો હતો. જે અંગે પંચકોષી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી સુરેશભાઈના પિતરાઈ ભાઈ દ્વારા આરોપીની બહેનનું પ્રેમ લગ્નના મામલે સાથે લઈ ગયો છે, જેનો ખાર રાખીને સુરેશભાઈને તમામ આરોપીઓ ઉઠાવી ગયા હતા, અને માર માર્યો હતો અને ત્યારબાદ તમામ આરોપીઓ નાસ્તા ફરતા રહ્યા હતા. દરમિયાન ગત રવિવારે પંચકોશી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે પાંચ આરોપીઓ પૈકીના એક આરોપી મંદીપ ચિરોડીયાની અટકાયત કરી લીધી હતી.
જેની પૂછપરછના આધારે પંચકોષી એ. ડિવિઝન પોલીસે તપાસનો દોર આગળ ધપાવી અન્ય બાકીના ચાર આરોપીઓ મુકેશ નાગજીભાઈ ચિરોડિયા, પિયુષ ભીમભાઇ ચીરોડીયા, જયેશ રામભાઈ ચીરોડિયા અને રાજુભાઈ ચીરોડીયાની પણ અટકાયત કરી લીધી છે, ઉપરાંત આ પ્રકરણમાં ઉપયોગમાં લેવાયેલી ઇકો કાર પણ કબજે કરી લેવામાં આવી છે.








