રાજકોટમાં કુતરા કરડવામાં 34 ટકાનો વધારો,દૈનિક 35થી વધીને 47 બનાવો

શ્વાન વ્યંધિકરણમાં મહિને ૮ લાખનો ખર્ચ છતાં રખડુ કુતરાનો ત્રાસ યથાવત્
8 માસમાં ૧૧,૨૯૨ લોકોને શ્વાનો કરડયા, ૪૨૨૮ને મનપા તથા બાકીનાને સિવિલમાં ફ્રી ઈન્જેક્શનો અપાયા
મનપા સૂત્રો અનુસાર ગત વર્ષે ૧૨,૭૬૪ ડોગબાઈટના કેસો નોંધાયા હતા. જ્યારે આરોગ્ય વિભાગ અનુસાર ચાલુ વર્ષમાં તા.૧ જાન્યુઆરીથી ૩૧ ઓગષ્ટ સુધીમાં ૧૧૨૯૨ કેસો નોંધાયા છે.અર્થાત્ અગાઉ મહિને ૧૦૦૦ સામે હવે ૧૪૦૦થી વધુ કેસ નોંધાય છે.
આ પૈકી ૪૨૨૮ લોકોને મનપા સંચાલિત ૨૩ આરોગ્ય કેન્દ્રોમાં, ૪૭૦૦ને સિવિલ હોસ્પિટલમાં અને ૨૩૬૪ને પદ્મકુંવરબા હોસ્પિટલમાં હડકવાવિરોધી ઈન્જેક્શન વિનામૂલ્યે અપાયાનું જણાવાયું છે. આ ઉપરાંત જે નાગરિકોએ ખાનગી દવાખાના કે હોસ્પિટલમાં આવા ઈન્જેક્શન લીધા હોય તે વિગત મનપામાં નોંધાતી નથી. ઉલ્લેખનીય છે કે કુતરું કરડવાથી હડકવાનો અસાધ્ય,ભયાનક રોગનું જોખમ હોવાથી કોઈ પણ નાગરિક ઈન્જેક્શન નહીં લઈને ઘરેલું સારવાર કરવાનું જોખમ લેતા નથી.
રાજકોટમાં ચાલુ વર્ષ ૨૦૨૫માં માસવાર કુતરા કરડવાના બનાવો
રાજકોટ: માત્ર સરકારી દવાખાના, હોસ્પિટલમાં ઈન્જેક્શન લીધા હોય તેવા ઈ.૨૦૨૫ના કેસની સંખ્યા.









