Get The App

જામનગરમાં ત્રણ દરવાજા વિસ્તારમાં રહેતા એક યુવાનના ઘર પર ત્રણ શખ્સોનો પથ્થરમારો કરી હંગામો : વાહનમાં તોડફોડ

Updated: Jun 19th, 2025

GS TEAM

Google News
Google News
જામનગરમાં ત્રણ દરવાજા વિસ્તારમાં રહેતા એક યુવાનના ઘર પર ત્રણ શખ્સોનો પથ્થરમારો કરી હંગામો : વાહનમાં તોડફોડ 1 - image


Jamnagar : જામનગરમાં ત્રણ દરવાજા વિસ્તારમાં રહેતા મોઈન સલીમભાઈ નામના 28 વર્ષના યુવાને પોતાના ઘરના દરવાજા ઉપર પથ્થર મારો કરી તોડફોડ કરવા અંગે તેમ જ ઘર પાસે પાસ કરેલું વાહન પણ તોડી નાખવા અંગે રોનક ચુડાસમા, સાગર ખવાસ, અને ભાવિન પટણી સામે ફરિયાદ નોંધાવી છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી અને આરોપીને અગાઉ તકરાર થઈ હતી, જેનું મન દુઃખ રાખીને તમામ આરોપીઓ ફરિયાદી મોઈનના ઘરની બહાર આવ્યા હતા, અને દેકારો કરી બહાર બોલાવ્યો હતો, પરંતુ પોતે બહાર નહીં જતા તમામ શખ્સો તોડફોડ કરીને ભાગી છુટયા હતા, જેથી આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

Tags :