Gujarat

મકરપુરાના ૨૩ વર્ષના યુવકનો ગળા ફાંસો ખાઇને આપઘાત

By GS TEAM
2 Sep 20251 min read
મકરપુરાના ૨૩ વર્ષના યુવકનો ગળા ફાંસો ખાઇને આપઘાત

 વડોદરા,મકરપુરા વિસ્તારના ૨૩ વર્ષના યુવકે અગમ્ય કારણોસર ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. આપઘાતનું કારણ જાણવા મકરપુરા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

મકરપુરા એરફોર્સ સ્ટેશન પાછળ નંદનધામ સોસાયટીમાં રહેતો ઉમેશ કિશનભાઇ પરમાર ( ઉં.વ.૨૩) મકરપુરા જી.આઇ.ડી.સી.ની કંપનીમાં નોકરી કરતો હતો. ભાડાના મકાનમાં રહેતા ઉમેશના મકાન માલિકે ઘરે ગણપતિ બેસાડયા  હોઇ આજે સવારે તેઓ ઉમેશને પ્રસાદ આપવા માટે તેના ઘરે ગયા હતા. તેમણે ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ, તેણે દરવાજો નહીં ખોલતા મકાન માલિક જતા રહ્યા હતા. ત્યારબાદ સવારે ૧૧ વાગ્યે તેઓ ફરીથી પ્રસાદ આપવા માટે ગયા હતા. તે વખતે  પણ ઉમેશે મકાનનો દરવાજો ખોલ્યો નહતો. જેથી, તેઓને શંકા જતા બારીનો કાચ તોડીને જોયું તો ઉમેશે પંખાના  હુક પર ઓઢણીથી ફાંસો ખાઇ લીધો હતો. જે અંગે પોલીસને જાણ કરવામાં આવતા મકરપુરાના એ.એસ.આઇ. વિનોદ શર્માએ સ્થળ પર જઇ કાર્યવાહી  કરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસનું એવું તારણ છે કે, ઉમેશે એક દિવસ પહેલા આપઘાત કર્યો હતો.