Gujarat

જામનગર પાલિકા હસ્તકની ગૌશાળામાં “કેર ફોર હ્યુંમીનિટી ફાઉન્ડેશન” દ્વારા 2000 લાડુ તથા 2000 રોટલી ગાયોને ખવડાવાઈ

By GS TEAM
4 Aug 20251 min read
TukuTouch Logo
જામનગર શહેરમાં પશુ નિયંત્રણ પોલીસીની અમલવારી કરવાના અનુસંધાને મ્યુનિ. કમિશ્નર ડી.એન. મોદી અને નાયબ કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ શહેરમાં રખડતા ભટકતા પશુઓને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે, આ પશુઓને મ.ન.પા હસ્તકની અલગ અલગ ત્રણ ગૌશાળાઓમાં રાખવામાં આવે છે

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર પાલિકા હસ્તકની ગૌશાળામાં “કેર ફોર હ્યુંમીનિટી ફાઉન્ડેશન” દ્વારા 2000 લાડુ તથા 2000 રોટલી ગાયોને ખવડાવાઈ

Jamnagar : જામનગર શહેરમાં પશુ નિયંત્રણ પોલીસીની અમલવારી કરવાના અનુસંધાને મ્યુનિ. કમિશ્નર ડી.એન. મોદી અને  નાયબ કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ શહેરમાં રખડતા ભટકતા પશુઓને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે, આ પશુઓને મ.ન.પા હસ્તકની અલગ અલગ ત્રણ ગૌશાળાઓમાં રાખવામાં આવે છે. 

દરમિયાન ગઈકાલ તા. 03-08-2025 ને રવિવારના રોજ જામનગર મહાનગરપાલિકા હસ્તકની હાપા ગૌશાળા ખાતે “કેર ફોર હ્યુંમીનિટી ફાઉન્ડેશન” દ્વારા 2000 લાડુ તથા 2500 રોટલી ગાયોને ખવડાવીને શહેરીજનોને પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડયું છે. 

આ ઉમદા કાર્ય, શહેરના લોકોને જાહેરમાં ઘાસચારો ન નાખવા અને આ પ્રકારનું દાન-પુણ્ય કાર્ય કરવા પ્રેરણા આપે છે. આથી શહેરીજનોને જાહેર રોડ રસ્તા પર ઘાસચારો ન નાખવા અપીલ કરવામાં આવી છે, અને જો ઘાસચારો કે અન્ય પ્રકારે દાન-પુણ્ય કરવું હોય તો “JMC Connect App.”  મારફત દાન આપવા અથવા મ.ન.પા. હસ્તકની ગૌશાળાઓ ખાતે રૂબરૂ દાન આપવા જામનગર મહાનગરપાલિકા આહ્વાન કરે છે.