Gujarat

જામનગર શહેર આસપાસના 27 પુલ પૈકીના 20 પુલ સહી સલામત : સર્વેનો રીપોર્ટ આવ્યો

By GS TEAM
19 Aug 20251 min read
TukuTouch Logo
બે પુલ જોખમી અવસ્થામાં : 5 માં માઈનોર ક્ષતિઓ : તંત્ર દ્વારા તાત્કાલિક રીપેરીંગ હાથ ધરાશે

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર શહેર આસપાસના 27 પુલ પૈકીના 20 પુલ સહી સલામત : સર્વેનો રીપોર્ટ આવ્યો

image : Social media

Jamnagar : જામનગર શહેરના આજુબાજુ મહાપાલિકાની હદ વિસ્તારમાં 27 જેટલા બ્રિજ આવેલા છે. જેમાં રેલવે ઓવરબ્રિજ પણ આવી જાય છે. આ બ્રિજના વિઝયુઅલ ઈન્સ્પેક્શનની કામગીરી કરવામાં આવી હતી.

જેમાં 20 જેટલા પુલમાં કોઈ ખામી ન હતી. જ્યારે પાંચ બ્રિજમાં માઈનોર પ્રકારની ક્ષતિ દર્શાવાઇ છે. અને બે બ્રિજ જોખમી સાબિત થયા છે. જેમાં સ્ટ્રકચરલ ખામીઓ જોવા મળી હતી.

જામનગર મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં અલગ અલગ પ્રકારના નદી પરના પુલ, રેલવે ઓવરબ્રિજ કોઝ-વે પ્રકારના 27 બ્રિજનું મહાપાલિકાના પ્રોજેક્ટ એન્ડ પ્લાર્નીંગ શાખા અને સિવિલ શાખા દ્રારા વિઝયુઅલ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જેમાં 20 બ્રિજ સહીસલામત મળી આવ્યા હતા. જ્યારે પાંચ બ્રિજમાં માઈનોર પ્રકારની ખામી જોવા મળી હતી. જે નિષ્ણાંતોના રિપોર્ટ મંગાવીને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બે બ્રિજ પર વધુ ખામીઓ મળી આવી છે. જેમાં કાલાવડ રોડ પરના હૈયાત બ્રિજ અને અન્નપૂર્ણા ચોકડી પહેલાનો બેઠો કોઝ-વે. આમાંથી કાલાવડ નાકા બહારના બ્રિજને તોડવાની અને નવો બ્રિજ બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તેમજ બંને બ્રિજના છેડા પર ભારે વાહનોની અવર જવર રોકવા માટે સૂચના બોર્ડ તેમજ જરૂરી આડશ લગાવવાની કામગીરી પણ પૂર્ણ કરી લેવાઈ છે.