ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ તંત્ર દોડતું થયું વડોદરા જિલ્લાના 20 બ્રિજોનું ઇન્સ્પેક્શન
symbolic |
વડોદરા જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગ દ્વારા જુદીજુદી ટીમો બનાવીને જિલ્લા પંચાયત હસ્તકના વાઘોડિયા,સાવલી નજીકના ડેસર અને ડભોઇ તાલુકાના ૭ મેજર (૩૦ મીટરથી વધુ લંબાઇ ધરાવતા),૧૨ માઇનોર બ્રિજ અને ૧ કોઝવે મળી કુલ ૨૦ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું.
ટીમો દ્વારા બ્રિજની હાલની સ્થિતિનું નિરીક્ષણ કરાયા બાદ ટૂંક સમયમાં રાજ્ય સરકારને રિપોર્ટ આપવામાં આવનાર છે.આ બ્રિજોનું હવે ડિઝાઇન સેલ દ્વારા પણ ઇન્સ્પેક્શન કરવામાં આવનાર છે.
DDO અને કલેક્ટરને તમામ બ્રિજો તપાસવા આદેશ
ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ રાજ્ય સરકારે તમામ કલેક્ટર અને ડીડીઓને તેમના વિસ્તારના મેજર અને માઇનોર બ્રિજ ઉપરાંત કોઝવે સહિતના નાળાની તાત્કાલિક તપાસ કરાવવા આદેશ આપ્યો છે.જેના ભાગરૃપે વડોદરા જિલ્લામાં તપાસમાં જોડાઇ છે.
વડોદરા જિ.પં.ના ક્યા મેજર બ્રિજ તપાસ્યા
તાલુકો બ્રિજ
વાઘોડિયા કરમલીયાપુરા- તામસીપુરા
વાઘોડિયા સાંગાડોલ- વસવેલ
ડેસર શિહોરા-લટવા
ડેસર પાન્ડુ-ગોપારી
ડેસર રાણીયા-શિહોરા
ડભોઇ ડભોઇ-કરનેટ
ડભોઇ માંડવા-કરનાળી