Gujarat

આણંદમાં ઉમરીનગર વિસ્તારમાં હત્યા કેસમાં 2 આરોપીની ધરપકડ

By GS TEAM
21 Sep 20251 min read
આણંદમાં ઉમરીનગર વિસ્તારમાં હત્યા કેસમાં 2 આરોપીની ધરપકડ

- 2 વ્યકિત સામે પોલીસ ફરિયાદ 

- મૃતક યુવાન 2017 માં આણંદમાં 48 લાખની લૂંટના ગુનામાં પકડાયો હતો 

આણંદ : આણંદના ઉમરીનગર વિસ્તારમાં હત્યા કેસમાં પોલીસે બે આરોપીને ધરપકડ કરી છે. આરોપીઓની પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે. 

આણંદના ઉમરીનગર વિસ્તારના યાસીન ઉર્ફે ગલબો અબ્દુલશા દિવાનને માતા-પિતાએ ઠપકો આપ્યો હતો. તેમ છતાં તેના વર્તનમાં ફેરફેર થયો ન હતો. યાસીન ઉર્ફે ગલબાએ મતા સાથે ઝઘડો કર્યો હતો. લોકો એકઠા થઇ ગયા હતા. બાદમાં યાસીન ઉર્ફે ગલબાના પિતા અબ્દુલશા દિવાન ઉશ્કેરાઇ જતા લાકડીથી મારમારતા ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડાયો હતો.યાસીનનું મોત થયું હતું. આ મામલે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં મોહસીનશા અબ્દુલશા દીવાને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. 

પોલીસે તા. ૧૯મીના રોજ અબ્દુલશા મહેમાનશા દિવાન અને બિસમિલ્લાબાનુ અબ્દુલશા દિવાન ( બંને રહે. ઉમરીનગર, ભાલેજ રોડ, આણંદ)ની ધરપકડ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, મૃતક યાસીન ા૨૦૧૭માં આણંદ શહેરના વિદ્યા ડેરી પાસે ૪૮ લાખની લૂંટના ગુનામાં પકડાયો હતો.