Gujarat

વડોદરાના જવાહરનગરમાં સમોસા લેવા ગયેલી 15 વર્ષીય સગીરા નો 6 દિવસથી પત્તો નથી

By GS TEAM
22 Apr 20261 min read
વડોદરાના જવાહરનગરમાં સમોસા લેવા ગયેલી 15 વર્ષીય સગીરા નો  6 દિવસથી પત્તો નથી

વડોદરાઃ શહેરના જવાહરનગર વિસ્તારમાં ગૂમ થયેલી ૧૫ વર્ષીય સગીરાનો છ દિવસથી પત્તો નહિ લાગતાં પોલીસની ટીમો શોધખોળ કરી રહી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે,ગઇ તા.૧૬મીએ સવારે ૧૧ વાગ્યાના અરસામાં સગીરા સમોસા લેવા માટે દુકાને ગઇ હતી, ત્યારબાદ તે પરત નહિ ફરતાં પરિવારજનોએ તમામ સંપર્ક સ્થાનો પર શોધખોળ કરી હતી.

આખરે તેમણે જવાહરનગર  પોલીસને જાણ કરતાં પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો છે અને જુદીજુદી ટીમો બનાવી સીસીટીવી ફૂટેજને આધારે તપાસ શરૃ કરી છે.સગીરાનો છ દિવસથી કોઇ પત્તો નહિ લાગતાં પરિવારજનોની હાલત દયનિય બની છે.