અમરેલીના સાવરકુંડલાનું મીતીયાળા ધ્રુજ્યું! 30 કલાકમાં ભૂકંપના 14 આંચકાથી ગ્રામજનોમાં ભયનો માહોલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amreli Earthquack News : અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકમાં છેલ્લા 30 કલાકથી ધરતીના પેટાળમાં સતત હલચલ જોવા મળી રહી છે. ખાસ કરીને મીતીયાળા પંથકમાં ગઈકાલથી અત્યાર સુધીમાં નાના-મોટા કુલ 14 ભૂકંપના આંચકા નોંધાતા સ્થાનિક રહીશોમાં ભારે ગભરાટ ફેલાયો છે. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી વિભાગે પણ આ આંચકાઓની સત્તાવાર પુષ્ટિ કરી છે.
રાત્રિ દરમિયાન નોંધાયા તીવ્ર આંચકા
સિસ્મોલોજી વિભાગના ડેટા મુજબ, રાત્રિના સમયે ભૂકંપની તીવ્રતા વધુ જોવા મળી હતી:
રાત્રે 1:14 મિનીટે: 3.0ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો, જેનાથી લોકો ઊંઘમાંથી જાગી ગયા હતા.
રાત્રે 1:37 મિનીટે: 1.1ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો.
સવારે 8:58 મિનીટે: ફરી એકવાર 1.5ની તીવ્રતાનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
8 એપ્રિલે આવેલા 7 ભૂકંપના આંચકાની વિગતો
વહેલી સવારે 04:15: 1.8 ની તીવ્રતા
વહેલી સવારે 04:16: 2.3 ની તીવ્રતા
વહેલી સવારે 04:24: 1.0 ની તીવ્રતા
વહેલી સવારે 04:57: 1.4 ની તીવ્રતા
સવારે 07:00: 2.2 ની તીવ્રતા
સવારે 07:15: 3.58 ની તીવ્રતા (સૌથી શક્તિશાળી આંચકો)
સવારે 07:51: 1.5 ની તીવ્રતા
અવિરત આંચકાઓનો સિલસિલો
ગઈકાલે રાત્રે 4:15 મિનીટ બાદથી મીતીયાળાવાસીઓ અવિરતપણે ધરતી ધ્રુજતી અનુભવી રહ્યા છે. આ આંચકાઓની અસર માત્ર મીતીયાળા પૂરતી સીમિત ન રહેતા આસપાસના ભાડ, વાંકિયા, ધજડી, સાકરપરા અને ઈંગોરાળા સહિતના ગામોમાં પણ વર્તાઈ હતી. સતત આવતા આંચકાઓને કારણે ગ્રામીણ વિસ્તારોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને લોકો સુરક્ષાના કારણોસર ઘરની બહાર રહેવાનું પસંદ કરી રહ્યા છે.









