જે ગીતની પ્રસ્તુતિમાં મને વિશેષ આનંદ આવે છે એવા સુંદર ગીત રજૂ કરું છું
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાં મને ગમતા ગીતનો ઓનલાઇન આયોજન
વિશ્વકોશ ટ્રસ્ટના લલિતકલા કેન્દ્રના દશાબ્દિના પ્રસંગે ગાયક અમર ભટ્ટ દ્વારા 'મને ગમતાં ગીતો'ની પ્રસ્તુતિનું ઓનલાઇન આયોજન કરાયું હતું. આ વિશે કુમારપાળ દેસાઇએ કહ્યું કે, માત્ર કાવ્યપ્રસ્તુતિ કરવાને બદલે એ કાવ્યરચનાની ઐતિહાસિક ભૂમિકાને સુંદર રીતે અમર ભટ્ટ તૈયાર કરે છે. શાીય રાગની સાથે અન્ય કવિઓના કાવ્યોની સુંદર પ્રસ્તુતિ કરીને કાવ્યસૌંદર્યમય વાતાવરણનો અનુભવ કરાવે છે. અમર ભટ્ટે 'મને ગમતાં ગીતો' વિશે વાત કરતાં કહ્યું કે, આમ તો મને અનેક ગીતો ગમે છે. જે ગીતની પ્રસ્તુતિમાં મને વિશેષ આનંદ મળે છે એવા સુંદર ગીતો રજૂ કરું છું.
ગીતમાં કવિ દયારામનું 'ચિત્ત તું શીદને ચિંતા ધરે, ઉમાશંકર જોશીનું ગીત 'અમે ગીત ગગનનાં ગાશું', 'મરીઝ'ની ગઝલ 'જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી, મનોજ ખંડેરિયાનું 'સુંવાળા શ્વેત છળથી અમે નીકળી નથી શકતા તેમજ સુરેશ દલાલનું 'આટલું બધું વ્હાલ તે કંઈ હોતું હશે. જોહ્ન હેન્રી ન્યૂમેનના કાવ્યને નરસિંહરાવ દિવેટિયાએ કરેલો અનુવાદ 'પ્રેમલ જ્યોતિ તારો દાખવી' તે કાવ્ય અત્યંત વિશિષ્ટ સંજોગોમાં લખાયું છે અને એમાં મહાત્મા ગાંધીની પ્રેરણા પણ કારણભૂત હતી.