24 મુમુક્ષુઓએ દિવ્યતાના માહોલમાં સંયમ જીવન સ્વીકાર્યું

By GS Team
30 Jan 20202 mins read
This article was originally published on 30 Jan 2020
TukuTouch Logo
ઘર છોડવાથી સાધુ, મન છોડવાથી શિષ્ય, તનના તમામ યોગ છોડવાથી સિદ્ધ બનાય છે - આચાર્ય મુક્તિપ્રભસૂરીશ્વરજી

Summarized by AI; it may make mistakes. Check important info

24 મુમુક્ષુઓએ દિવ્યતાના માહોલમાં સંયમ જીવન સ્વીકાર્યું

આચાર્યદેવ શ્રીમદ્ વિજય મુક્તિપ્રભસૂરીશ્વરજી મ.સા. આદિ 9 આચાર્ય ભગવંતોની તથા ત્રીશતાધીક સાધુ-સાધ્વીજીઓની નિશ્રામાં અમદાવાદમાં એક સાથે 24 મુમુક્ષુઓએ સાંસારિક જીવનનો ત્યાગ કરીને અલૌકિક માહોલમાં દીક્ષા ગ્રહણ કરી હતી. 

અમદાવાદના પાલડીમાં આવેલા રિવરફ્રન્ટ ખાતે વૈરાગ્ય રંગોત્સવ મંડપમાં પધારેલા ૧૦ હજારથી વધુ શ્રાવકો-શ્રાવિકાઓએ હર્ષોલ્લાસ સાથે નૂતન દીક્ષાર્થીઓને અક્ષત દ્વારા વધાવ્યા હતા. નૂતન દીક્ષાર્થીઓને આશિર્વચન આપતા આચાર્યદેવ શ્રીમદ વિજય મુક્તિપ્રભસૂરીશ્વરજી મ.સા.એ જણાવ્યું હતું કે, 'વિચારો-આચારો-ઉચ્ચારો આ ત્રણેયને નિયંત્રણમાં લેવા તેનું નામ સંયમ છે. વિચારો-આચારો-ઉચ્ચારોનું ગુરુચરણમાં સમર્પણ તેનું નામ શિષ્ય. જેના મનમાં વિચારો-વચનના ઉચ્ચારો અને કાયાના આચારો ગુરુથી અજાણ ના હોય તે સાચો શિષ્ય છે-સાચો સાધુ છે. ઘર છોડવાથી સાધુ અને મન છોડવાથી શિષ્ય જ્યારે તનના તમામ યોગો છોડવાથી સિદ્ધ બનાય છે. સિદ્ધ બનવા માટે સાધુ બનવાનું છે. ' 

વહેલી સવારે ૨૪ મુમુક્ષુઓની દીક્ષા વિધિનો પ્રારંભ થયો હતો. વૈરાગ્ય રંગોત્સવ મંડપમાં નૂતન દીક્ષાર્થીઓના ઉપકરણનો ચઢાવો થયો હતો. આ ઉપરાંત મુમુક્ષુઓના નૂતન નામ સૌપ્રથમ વાર જાહેર કરવા માટે ઉછામણી બોલાઇ હતી. આ પછી આચાર્યદેવ મુક્તિપ્રભસૂરીશ્વરજી મ.સા.એ નૂતચન દીક્ષાર્થીઓના નામકરણની વિધિ કરી હતી. નામકરણ વિધિ બાદ શ્રાવકો-શ્રાવિકાઓએ આનંદ સાથે અક્ષતથી નૂતન દીક્ષાર્થીઓને વધાવ્યા હતા તેમજ દીક્ષાર્થીઓનો ગગનભેદી જયઘોષ કર્યો હતો. અલૌકિક-દિવ્યતાના માહોલમાં ભવ્ય રીતે દીક્ષાવિધિ સંપન્ન થઇ હતી.

24 દીક્ષાર્થીઓના નવા નામ શું છે?

હીરાભાઇ કોઠારી (સુરત) - મુનિરાજ હેમરક્ષિત વિજયજી મ.સા.,

રજનીભાઇ શાહ (અમદાવાદ) - મુનિરાજ તપોરક્ષિત વિજયજી મ.સા.,

રોહીતભાઇ (વાપી) - મુનિરાજ રાજરક્ષીત વિજયજી મ.સા.

સંદિપભાઇ જૈન (મુંબઇ) -મુનિરાજ શ્રુતરક્ષિત વિજયજી મ.સા., 

વિવેકભાઇ ગાંધી (બેંગલોર)- મુનિરાજ વિશ્વરક્ષિત વિજયજી મ.સા., ભવ્યકુમાર (અમદાવાદ) મુનિરાજ તપોદય વિજયજી મ.સા., 

વજ્રકુમાર જૈન (મુંબઇ) -મુનિરાજ વ્રતરક્ષિત વિજયજી મ.સા., 

પ્રબલભાઇ સકલેચા (ઉજ્જૈન) -મુનિરાજ અર્હંરક્ષિત વિજયજી મ.સા., ધીરુભાઇ જૈન (મુંબઇ) ઃ મુનિરાજ ધૈર્યરક્ષિત વિજયજી મ.સા., 

સંયમભાઇ જૈન (કરાડ) - મુનિરાજ સંવેગરક્ષિત વિજયજી મ.સા., 

સુશિલાબહેન શાહ (અમદાવાદ)- સાધ્વીજી પરમગુણા શ્રીજી, 

રસીલાબહેન (મુંબઇ)-સાધ્વીજી રત્નમાલા શ્રીજી, 

વર્ષાબહેન (મુંબઇ) - સાધ્વીજી વિરતિશ્રેયા શ્રીજી, 

ચારુલતા દોશી (મુંબઇ) - સાધ્વીજી રત્નનિધિ શ્રીજી, 

સેજલબહેન જૈન (મુંબઇ) -સાધ્વીજી શ્રુતવર્ધના શ્રીજી, 

ઉષ્માબહેન મંડલેચા (મુંબઇ)- સાધ્વીજી  ધ્યેયનયના શ્રીજી, 

સોનુબહેન પટેલ (લાડોલ) -સાધ્વીજી શ્રેયપદ્મા શ્રીજી, 

સુચિબહેન શાહ (અમદાવાદ) - સાધ્વીજી ત્રૈલોક્યાનયના શ્રીજી, 

પ્રિયાબહેન નાણેશા (પૂના) - સાધ્વીજી પૂર્ણનંદિતા શ્રીજી, 

વિધિબહેન શાહ (આણંદ) - સાધ્વીજી વર્યપદ્મા શ્રીજી, 

લબ્ધિબહેન જૈન (મુંબઇ) - સાધ્વીજી આગમવર્ધના શ્રીજી, 

પ્રિયાંશીબહેન જોગાતર (મુંબઇ) -સાધ્વીજી  પ્રિયવર્ધના શ્રીજી, 

યાશીબહેન શાહ (અમદાવાદ) - સાધ્વીજી  નમ્રનયના શ્રીજી, 

નિર્જરાબહેન મહેતા (અમદાવાદ) - સાધ્વીજી નિરપેક્ષા શ્રીજી.